[૩૬પ] સકરાત વખતે કિબ્લા તરફ પગ કરવા

Chapter : નમાઝ

(Page : 472-473)

સવાલ :–  મય્યિતની સકરાત વખતે તેનું માથું અને પગ બન્ને કિબ્લા તરફ હોવા જોઈએ તેવું ”અહકામુલ મય્યિત” કિતાબમાં છે, તો ઘણા લોકો પગ કિબ્લા તરફ કરવાને મના ફરમાવે છે.

જવાબ :– જયારે કોઈ માણસની સકરાતની હાલત શરૂ થાય તો સુન્નત તરીકો આ છે કે તેને જમણી કરવટ ઉપર સુવડાવી મોઢું કિબ્લારુખ કરવામાં આવે અને એ પણ જાઈઝ છે કે કિબ્લારુખ પગ કરીને સુવડાવવામાં આવે અને માથા નીચે તકિયો મૂકવામાં આવે, તાકે મોઢું કંઈક અંશે કિબ્લારુખ થઈ જાય અને આ પ્રમાણે સુવડાવવાને આસાનીથી રૂહ નીકળવાનો તરીકો બતાવવામાં આવ્યો છે.    (મજ.અનહુર – ૧/૧૭૯)

Log in or Register to save this content for later.