Chapter : નમાઝ
(Page : 461)
સવાલ :– અમો કબરો ખોદવા માટે જઈએ છીએ, કબરોમાંથી પહેલા લોકોની મય્યિતનાં હાડપિંજર આવે છે, જેને અમે તીકમથી બહાર કાઢી પછી તેને મય્યિત સાથે દફન કરીએ છીએ. તો શું અમો ગુનેહગાર થઈએ છીએ?
જવાબ :– પ્રથમ તો કબર ખોદવામાં એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે જયારે કબ્રસ્તાનમાં ખાલી જગ્યા હોય તો એવી જગ્યાએ કબર ન ખોદવી જોઈએ કે જે જગ્યાએ પહેલેથી કબર હોય અને તે કબર એટલી જૂની હોય કે તેમાં દફન કરેલી મય્યિત સળીને માટી થઈ ગઈ હોય. જો આ વાતનો ખ્યાલ રાખીને કોઈ જગ્યાએ કબર ખોદવામાં આવી અને તેમાંથી જૂની મય્યિતના અમુક જર્જરિત હાડકાં નીકળ્યા તો તમો ગુનેહગાર નથી અને જયારે આ પ્રમાણે કાળજીપૂર્વક નવી કબરની જગ્યા નકકી કરવા છતાં હાડકાંઓ નીકળે તો તેનો હુકમ એ છે કે અદબપૂર્વક તે હાડકાંઓ નવી કબરના એક ખૂણામાં મૂકી નવી મય્યિત અને જૂના હાડકાઓ વચ્ચે માટીની આડ બનાવી દેવામાં આવે. (શામી – ૧/ પ૯૮)
Log in or Register to save this content for later.