Chapter : નમાઝ
(Page : 459)
સવાલ :– અમારા ગામમાં જયારે પણ મય્યિત થઈ જાય છે, ચાહે તે મર્દની હોય કે ઓરતની હોય, કબરમાં તેને ચિત્ત સુવડાવવામાં આવે છે, માત્ર થોડું મોં કિબ્લહ તરફ ફેરવવામાં આવે છે તો આ સહીહ છે કે નહિં? ગુજરાતી બહેશ્તી ઝેવરમાં પેજનં – ૯૧ પર મસ્અલા–૧૬ માં મય્યિતને કબ્રમાં મૂકી જમણી બાજુએ તેનું કિબ્લા તરફ કરી દેવું સુન્નત લખેલ છે. (આલમગીરી) જયારે ઉર્દૂ બેહશ્તી ઝેવરમાં આ પ્રમાણે છે :
મૈયત કો કબર મેં રખકર દાહને પેહલુ પર ઉસકો કિબ્લા રૂ કર દેના મસ્નૂન હૈ” (પેજ નંબર – ૧૧/૭પ૯ મસ્અલો–૧પ)
તો પછી અમારે ત્યાં મૈયતને ચિત્ત સૂવાડી ખાલી મોં કિબ્લા તરફ કરવામાં આવે છે તે બરાબર છે કે નહિં ?
જવાબ :– મય્યિતના પૂરા બદનને જમણી કરવટ ઉપર કિબ્લા રૂખ સુવડાવવી સુન્નત છે. માત્ર મોઢું કિબ્લા તરફ કરી આપવું અને શરીર સીધું રહેવા દેવું એ દુરૂસ્ત નથી. ફુકહાએ કિરામ (રહ.)એ બતાવેલા તરીકાના વિરૂધ્ધ છે. હઝરત મવલાના થાનવી (રહ.) એ પોતાની કિતાબ ”ઈસ્લાહે ઈન્કિલાબ–૧/ર૪૦” માં આ વાતની ચોખવટ કરી છે.
Log in or Register to save this content for later.