[૩પપ ] કબર ઉપર ચાલવું અને નવી મય્યિત દફનાવવી

Chapter : નમાઝ

(Page : 462-463)

સવાલ :– અમારા ગામ જેસરમાં કબ્રસ્તાન છે જે હાલમાં ગામની આબાદીમાં  આવી ગયું છે. આજના સંજોગોમાં જોતાં પ્રમુખ સાહેબે કબ્રસ્તાનની ચારેવ બાજુ દિવાર બનાવી કબજો કરાવી લીધો છે. કબ્રસ્તાન એક બાજુથી ખૂબ ઉંચું અને બીજી બાજુથી ખૂબ નીચું હતું અને અડધા કબ્રસ્તાનમાં દફન વિધિ થાય છે અને અડધામાં થતી નથી. લગભગ ૧૦૦ વર્ષ થયા મય્યિત દફન થતી નથી. હાલ આ ભાગમાં પ્રમુખ સાહેબે ગામના અમુક માણસોથી મશ્વરો કરી જમીનને બરાબર લેવીંગ કરવા ટ્રેકટર ફેરવી દીધું છે. જમીન સારી બની ગઈ, પરંતુ  એક કબર જેમાં ૧૯૮રમાં એક ભાઈને દફન કર્યા હતા તે જગા પણ બરાબર થઈ ગઈ. તો આ રીતે કરવામાં વાંધો ખરો? બીજું કે કબ્રસ્તાન પહેલાં ઘણું મોટું હતું, પરંતુ હાલ તે લોકોના કબજામાં છે, ગેર કોમે ઘરો પણ બનાવી લીધા, જાહેર રસ્તો પણ બની ગયો છે ત્યાં સુધી કોઈ મુસ્લિમને કોઈ વાંધો ન હતો, પરંતુ આ જૂની કબર ખોદાઈ ગઈ તો વાંધો ઉઠાવે તો શું આ રીતે વાંધો ઉઠાવવો યોગ્ય છે? શરીઅતનો શું હુકમ છે. મુંબઈ–સુરત વગેરેમાં ૧૦–૧ર મહિને કબર ખોલી નાંખવામાં આવે છે તો કબરને કયાં સુધી સલામત રાખવી તે પણ કિતાબોના હવાલાથી જણાવશો.

જવાબ :– કબ્રસ્તાનમાં કબ્ર ઉપર ટે્રેકટર ફેરવવું અથવા ચાલવું દુરૂસ્ત નથી, ચાહે ગમે તેટલી જૂની કબર હોય તો પણ આ જ હુકમ છે, કબ્રસ્તાનની કબ્રને ટ્રેકટર ફેરવવા અને પોતે ચાલવા ફરવાથી હંમેશા સુરક્ષિત રાખવી જોઈએ.

یکرہ الشی فی طریق ظنّ انّہ محدث حتی إذا لم یصل الی قبرہ الابوطء قبر ترکہ۔ (در مختار مع الشامی : جلد ؍۱، ۶۰۶(

જયાં સુધી જૂની કબરની મય્યિત, માટી ન થઈ જાય તે જગ્યાએ નવી મય્યિતને દફન કરવા માટે કબર ખોદવી જાઈઝ નથી.

قال فی الفتح ولا یحفر قبر لدفن آخر الاّ ان  بلی الاول فلم یبق لہ عظم۔   (شامی اول ۵۹۸(

Log in or Register to save this content for later.