Chapter : તહારત
(Page : 156)
સવાલ :– મારી સાથે નોકરી કરતા એક પારસી મિત્રને ત્યાં તેની છોકરીના નવજોત પ્રસંગે જવાનું થયું, ત્યાં ખાવાની દાવત પણ હતી; પરંતુ ઘણી વ્યકિતઓના મોઢે એવી વાત સાંભળેલી કે પારસી કોમ તેમના ખાણામાં ગાય કે વાછરડાના પેશાબના છાંટા નાખે છે, જેથી ખાવાનું મન થયું નહિ અને સારા સંબંધો હોવા છતાં અમો બે–ચાર સાથીઓ ખાણું ખાવા વગર ત્યાંથી પાછા ફર્યા. તો શરીઅતમાં આવું ખાણું જાઈઝ ગણાય કે હરામ ગણાય ?
અને ખૂબ સારા સંબંધો હોય તેવા સંજોગોમાં આવું ખાણું જાઈઝ ગણી શકાય કે નહિ ? કારણકે ઘણા માણસોથી સાંભળવા મળ્યું છે કે આ તો મજબૂરી કહેવાય માટે ખાવામાં કોઈ વાંધો નથી.
જવાબ :– ગાય અને વાછરડાનું મૂત્ર શરઈ દ્રષ્ટિએ નાપાક અને હરામ છે, માટે જો વિશ્વાસપાત્ર ખબરથી માલૂમ પડે કે દાવતના ખાણામાં મજકૂર મૂત્રનો છંટકાવ કરવામાં આવ્યો છે તો તેવું ખાણું ખાવું જાઈઝ અને હલાલ નથી અને પારસી મિત્રની દાવતને એવી મજબૂરી ન ગણી શકાય કે જેનાથી નાજાઈઝ અને હરામ વસ્તુ ખાવાની ગુંજાઈશ નીકળી શકે. (‘શામી ૧, ‘આલમગીરી પ)
Log in or Register to save this content for later.