Chapter : તહારત
(Page : 169)
સવાલ :– કફની નીચે પહેરેલું અંદરનું બનિયાન નાપાક હોય અને કફની પાક હોય અને એવી હાલતમાં નમાઝ પઢી હોય તો નમાઝ થશે કે નહિં ?
જવાબ :– અંદર પહેરેલું બનિયાન જો નાપાક હોય અને તેમાં નાપાકી એટલા પ્રમાણમાં લાગેલી હોય કે જે પ્રમાણમાં કપડા પર નાપાકી માફ ગણાતી નથી તો એવુ કપડુ પહેરી પઢેલી નમાઝ દુરૂસ્ત નહિં ગણાય, નાપાક કપડુ ઉતારી ફર્ઝ નમાઝ ફરી પઢવી પડશે, નાપાક કપડુ પહેરી નમાઝ પઢવાના હુકમમાં અંદર કે ઉપર પહેરવાથી કોઈ ફરક નહિ પડે, અસલ તો નમાઝીએ પહેરેલા બધા કપડાંનું પાક હોવુ નમાઝ સહીહ થવા માટે શર્ત છે, જો નમાઝી પોતાના બદન ઉપર કે પહેરેલા કપડા ઉપર એટલી નાપાકી સાથે નમાઝ પઢશે જેટલી નાપાકી માફ નથી, તો નમાઝ સહીહ નહિ થાય. (કબીરી ૧૭૧/૧૭૭–શામી ભા.૧/ર૧૦/ર૧૩)
Log in or Register to save this content for later.