Chapter : તહારત
(Page : 168)
સવાલ :– અમારે ત્યાં તબ્લીગી જમાઅત આવી હતી અને એક ભાઈએ જમાઅતી ભાઈઓની દઅવત કરી હતી, જમાઅતી ભાઈઓને પીરસેલા ખાણામાંથી થોડુ ખાવા વધ્યું તો એક ભાઈએ કહ્યું કે આ વધેલુ ખાવા તમારા ઘરની ઓરતોને ન ખવડાવતા, કારણકે પરાયા મર્દનું વધેલુ, એઠું ઓરત માટે ખાવુ જાઈઝ નથી, તો સવાલ આ છે કે ગેર મહરમ મર્દનું વધેલુ એઠું ઓરત ખાય શકે કે નહિ ?
જવાબ :– જે ઓરત અને મર્દ વચ્ચે પતિ–પત્ની કે એક બીજાના મહરમ હોવાનો રિશ્તો ન હોય તેવા અજનબી મર્દ–ઓરત માટે એક બીજાનું વધેલુ એઠું (છંડાણ) ખાવુ પીવુ મકરૂહ છે. કારણકે પરાયા મર્દ–ઓરતે એક બીજાના એઠા ખાણા–પીણાથી લિજજત ઉઠાવવાનો ભય છે, અલબત્ત આવો ભય જયાં પરાયા સ્ત્રી–પુરુષ એક બીજાને ઓળખતા હોય ત્યાં ઉપસ્થિત થાય છે અને બહારની જમાઅતના માણસોથી ઘરની ઓરતોને સામાન્ય રીતે કોઈ ઓળખાણ અને સંબંધ હોતો નથી, માટે બહાર ગામની જમાઅતના મર્દોનું વધેલુ એઠું ખાણુ દઅવત કરનાર ભાઈના ઘરની ઓરતો માટે ખાવાની ગુંજાઈશ છે. (‘શામી ૧/૧૪૮)
Log in or Register to save this content for later.