[૧ર૦] ગોબર ગેસનો ઉપયોગ

Chapter : તહારત

(Page : 165)

સવાલ :– હાલ સરકાર ખેડૂતોને ગોબર ગેસની વ્યવસ્થા કરી આપે છે, તેમજ બીજા લોકો પણ સરકાર પાસેથી લોન લઈને ગોબર ગેસ બનાવે છે. તો શું આ નાપાકીથી ઉત્પન્ન થતો ગેસ ખાવું પકાવવા વગેરેમાં ઉપયોગ કરી શકાય ? ગરીબ લોકો ભેંસ વગેરેનું છાણ ભેગું કરીને અને તેના છાણા થાપીને સુકાયા પછી તેને બળતણના કામમાં લે છે અને તેનાથી ખાવું વગેરે પકાવે છે, તો એ પ્રમાણે ગોબર ગેસનો ઉપયોગ પણ કરી શકાય ?

જવાબ :– ગોબરથી જો પ્રવાહી ગેસ બનતો હોય અને તેમાંથી નાપાકીની બદબૂ આવતી હોય તો તે ગેસ નાપાક ગણાશે. (‘શામી ૧/ર૦૬)

                પરંતુ તે ગેસથી બનતુ બળતું પાક ગણાશે અને તેના બળતાનો ખાવું પકાવવા વગેરેમાં ઉપયોગ કરવો પણ જાઈઝ છે, જેવી રીતે છાણના બનેલા ઓપલાના બળતણથી ખાવું પકાવવું વગેરે જાઈઝ છે.  (‘મહમૂદિય્યહ ૧૪/૪રપ, ‘રહીમિય્યહ ૬/૩૩પ)

Log in or Register to save this content for later.