[૧રર] નાપાક બદન અથવા કપડું પાક બદન અથવા કપડાં સાથે લાગે

Chapter : તહારત

(Page : 167)

સવાલ :– નાપાક બદન અથવા કપડાં પાક બદન અથવા કપડાં સાથે સુકાઈને લાગે તો પાક બદન અથવા કપડાં નાપાક થશે કે કેમ ?

જવાબ :– નાપાક બદન અથવા કપડાં જે નાપાક પાણીથી અથવા પેશાબ, લોહી જેવી સીધી નાપાકીથી નાપાક હતાં, તે સૂકાય ગયા બાદ સુકા પાક બદન અથવા કપડાંને લાગે તો તેનાથી પાક બદન કે કપડાં નાપાક નહિં થાય.        (કબીરી ૧૯૩)

                જો સુકાયેલું નાપાક બદન કે કપડું ભીગેલા પાક બદન કે કપડાંને લાગે અને ભીગેલા પાક બદન કે કપડાંમાં નાપાકીની દુર્ગંધ કે તેનો રંગ આવી જાય તો તે પાક બદન કે કપડું આ પ્રમાણે નાપાક વસ્તુના લાગવાથી નાપાક થઈ જશે, ચાહે પહેલું અસલ નાપાક બદન કે કપડું નાપાક પાણીથી નાપાક હોય કે પેશાબ જેવી ખુદ નાપાકીથી નાપાક હોય.

                જો ખુદ નાપાકીથી ભીગેલું નાપાક કપડું સુકા પાક કપડા કે બદનને લાગે અને તેમાં નાપાકીની તરાવટ (ભીનાશ) આવી જાય તો પણ તે પાક કપડું કે બદન નાપાક પાણીથી ભીગેલું નાપાક કપડું કે બદન સુકાયેલા પાક બદન કે કપડાને લાગે અને ભીનાશની સાથે સાથે તેમાં નાપાકીનો રંગ કે દુર્ગંધ પણ આવી જાય તો તે નાપાક થઈ જશે.

                હા, જો નાપાક પાણીથી ભીગેલું નાપાક કપડું કે બદન સુકા પાક બદન કે કપડાંને લાગે અને તેમાં માત્ર ભીનાશ જ ઉત્પન્ન થાય, દુર્ગંધ કે ગંધ ન બેસે તો પાક કપડું નાપાક નહિં થાય, અલબત્ત પાક બદન નાપાકીના રંગ કે દુર્ગંધ વગર માત્ર ભીનાશ આવવાથી પણ નાપાક થઈ જશે અને પાક કપડામાં જો નાપાક પાણીથી ભીગેલા બદન અથવા કપડાની એટલી બધી ભીનાશ આવી જાય કે જો તેને નીચોડવામાં આવે તો તેમાંથી નાપાક પાણીના ટીપાં પડવા લાગે, આ સૂરતમાં બદનની જેમ કપડુ પણ નાપાક થઈ જશે, કવાઈદથી આ જ તફસીલ સાબિત થાય છે.    (તહતાવી કમ મરાકી ૮ર/કબીરી ૧૭૪/ર૦૩)

Log in or Register to save this content for later.