[૩૪૦] મય્યિત પતિને ગુસલ આપવું

Chapter : નમાઝ

(Page : 449-450)

સવાલ :– આપના ત્યાંથી પ્રગટ થયેલ કિતાબ ઈસ્લામી અરકાનમાં એક મસ્અલહ એવો છે કે જયારે ઔરત વફાત પામે ત્યારે તેનો શોહર તેને ગુસલ આપી શકે નહીં પરંતુ જયારે શોહર વફાત પામે ત્યારે તેની ઔરત ગુસલ આપી શકે એમ કેમ ? હાલાંકે જયારે મર્દ કે ઔરત એમાંથી કોઈ પણ વફાત પામે એટલે નિકાહ તૂટી જાય છે.

જવાબ :– જયારે ઔરતની વફાત થાય તો પુરૂષનો નિકાહ વફાત થતા જ સંપુર્ણ રીતે ખતમ થઈ જાય છે એટલે તે મરનારની બહેનથી નિકાહ કરવા ચાહે તો તુરત પણ કરી શકે છે અને જો પુરૂષની વફાત થાય તો ઔરત તેની સાથે થયેલો નિકાહ સંપુર્ણ રીતે ખતમ નથી થઈ જતો. બલ્કે  ઈદ્દતે વફાત પૂરી થતાં સુધી કંઈક અંશે નિકાહ બાકી રહે છે માટે ઔરત ઈદ્દતે વફાત પૂરી થતાં પહેલાં કોઈ બીજા પુરૂષથી નિકાહ નથી કરી સકતી અને ઈદ્દતના ઘરમાં ઈદ્દત પૂરી થતાં સુધી રહેવાની હકદાર છે. જેવી રીતે કે તલાકની ઈદ્દતમાં પણ ઈદ્દત પૂરી થતાં સુધી નિકાહ બાકી રહેવાથી મુતલ્લકા (ઈદ્દત ગુઝારનાર ઔરત) કોઈ બીજાથી નિકાહ નથી કરી સકતી અને તલાક દેનાર પુરૂષ ઔરતની ઈદ્દત પૂરી થતાં સુધી તે ઔરતની બહેનથી નિકાહ નથી કરી સકતો, તો ખુલાસો એ કે કંઈક અંશે નિકાહ બાકી રહેવાના કારણે તે વફાત પામેલ પતિને ગુસલ આપી શકે છે.                                   (શામી – પ૭૬/૧)

Log in or Register to save this content for later.