[૩૪ર] મવત યાદ કરનારને શહાદતનો મરતબો

Chapter : નમાઝ

(Page : 451-452)

સવાલ :– તબરાનીમેં એક હદીષ હે :

”જો દિન રાતમેં કમ સે કમ બિસ મરતબા મૌત કો યાદ કરતા હૈ ઉસે શહીદોં કે સાથ ઉઠાયા જાએગા.”

તો મેં કિસ અલ્ફાઝ સે યાદ કરૂં, મુઝે કયા કેહના પળેગા?

જવાબ :– શૈખ તબરાનીની ”મુઅજમે સગીર”માં આવી કોઈ હદીષ અભ્યાસ કરવા છતાં મળી નથી, શકય છે કે તેઓની બીજી કિતાબ ”મુઅજમે કબીર”માં આવી રિવાયત હોય. અહિંયા ”મુઅજમે કબીર” નથી એટલે એ અભ્યાસ કરી તે હદીષ ઢૂંઢવી મુશ્કેલ છે. પરંતુ શામીમાં આખિરતમાં શહાદતનો મરતબો અને સવાબ પામનાર વ્યકિતઓની ગણત્રી કરતા લખ્યું છે કે જે માણસ દરરોજ પચ્ચીસ વાર આ દુઆ પઢે :

”અલ્લાહુમ્મ બારિક લી ફિલ્‌ મવ્‌તિ વ ફીમા બઅદલ્‌ મવ્‌તિ”

               અને તે પોતાની પથારી ઉપર વફાત પામે તો અલ્લાહ તઆલા તેને શહીદનો સવાબ અતા ફરમાવશે.                    (શામી–૧/૬૧૧)

Log in or Register to save this content for later.