Chapter : નમાઝ
(Page : 449)
સવાલ :– મય્યિતને જયારે સકરાતની હાલત હોય ત્યારે કિબ્લા તરફ પગ કરી સુવડાવવામાં આવે છે હાલાંકે કિબ્લા તરફ પગ કરવા મના છે.
જવાબ :– માથું થોડું ઊંચુ કરીને કિબ્લા તરફ સુવડાવવું જાઈઝ છે. કારણ કે સાહિબે હિદાયહ (રહ.)ના લખવા મુજબ રૂહ નિકળવામાં આસાની રહે છે. ઉપરાંત આંખો બંધ કરવા અને મોઢું બાંધવામાં આસાની રહે છે અને અંગો વાંકા ચૂકા રહી જવાથી હિફાઝત રહે છે અને સાથે માથુ ઉંચું કરવાથી મોઢું કિબ્લા તરફ રહે છે અને આવી હાલતમાં કિબ્લા તરફ પગ કરવાની મનાઈ નથી. (શામી – ૧)
Log in or Register to save this content for later.