Chapter : નમાઝ
(Page : 448)
સવાલ :– મય્યિતને ઘરમાં મુકયા પછી મય્યિતની આજુ બાજુ કુર્આન શરીફ પઢે છે શું એ તરીકો સુન્નત છે કે બિદઅત?
જવાબ :– મય્યિતને ગુસલ આપ્યા પછી તેની પાસે કુર્આન શરીફ પઢવું જાઈઝ છે સુન્નત કે બિદઅત નથી. હા, જો કુર્આન પઢવાને જરૂરી સમજવામાં આવે તો બિદઅત છે, જે કામ સુન્નત ન હોય તેનું બિદઅત હોવું જરૂરી નથી અને ગુસલ પહેલાં જો મય્યિત ખુલ્લી હોય, તો તેની પાસે કુર્આન શરીફ પઢવું મકરૂહ છે.
Log in or Register to save this content for later.