Chapter : નમાઝ
(Page : 447-448)
સવાલ :– કબ્રસ્તાનમાં કબ્ર ખોદનારાઓ કે અન્ય માણસો ખાય પી શકે છે? કબ્રસ્તાનમાં રસ્તો બનાવી અવર જવર થઈ શકે છે ?
જવાબ :– કબ્રસ્તાનમાં કબ્રોની નઝદીક કબ્ર ખોદનારાઓએ પણ ખાવા ન બેસવું જોઈએ, બલકે ત્યાંથી દૂર હટીને ખાવા માટે બેસવું જોઈએ. પાણી પીવાનો વાંધો નથી. કબ્રસ્તાનમાં કબ્રો ઉપર નવો રસ્તો બનાવી અવર જવર ન કરવી જોઈએ, મકરૂહ છે બલ્કે જે રસ્તા વિષે એમ લાગે કે કબ્રોની ઉપર બનાવવામાં આવ્યો છે તો તે રસ્તેથી પણ અવર જવર ન કરવી જોઈએ ચાહે પહેલેથી રસ્તો બનેલો હોય, નવો બનાવવામાં આવ્યો ન હોય. (શામીઃ૬૦૬/૧, તહતાવીઃ૩૪ર)
Log in or Register to save this content for later.