Chapter : નમાઝ
(Page : 447)
સવાલ :– મય્યિતનો જનાઝહ ફર્ઝ નમાઝ પહેલાં સફોની આગળ મૂકી આપવામાં આવે છે. ફર્ઝ નમાઝ થઈ ગયા પછી સુન્નત, નફલોથી ફારિગ થઈ નમાઝે જનાઝહ પઢવામાં આવે છે તો જનાઝહ આગળ રાખી નમાઝ પઢી શકાય કે નહિં?
જમાઅતખાના બહાર નમાઝે જનાઝહ પઢી શકાય એટલી જગ્યા છે. જનાઝહ આગળ રાખવા વિષે હનફી, શાફઈ, માલિકી, હમ્બલીનો મતભેદ છે કે નથી?
જવાબ :– ફર્ઝ અને સુન્નતો નફલ પઢતી વખતે જનાઝો આગળ મૂકવો કરાહતથી ખાલી નથી માટે આગળ ન મુકવો જોઈએ. (શામીઃ રપ૪/૧)
અને જનાઝહની નમાઝ વિના શરઈ કારણે મસ્જિદમાં પઢવી મકરૂહ છે. (હનફી અને માલિકી ફિકહ મુજબ) અલબત્ત, શાફઈ અને હમ્બલી ફિકહ મુજબ વિના કારણે મસ્જિદમાં પઢવી પણ મકરૂહ નથી.
(કબીરીઃ પ૮૮, શામી ૧/પ૯૩)
Log in or Register to save this content for later.