Chapter : નમાઝ
(Page : 458-459)
સવાલ :– મય્યિત થાય અને બહારના લોકો જનાઝહમાં શરીક થવા માટે આવે છે, તેમના માટે મય્યિતવાળાઓ અથવા તેમના સગાંસબંધીઓ બીજાઓના ઘરે સીધો સામાન મોકલી અથવા સગા–સબંધીઓ પોતાનો ખર્ચ કરી બહારના મહેમાનો માટે ખાવાનો ઈન્તિઝામ કરે છે. હવે દા.ત, મય્યિત ઝોહરની નમાઝ પછી ઉઠાવવામાં આવે જેની દફન વિધિમાં દોઢ બે કલાક નીકળી જાય છે, રિવાજ એવો પ્રચલિત થયો છે કે મય્યિતને દફનાવ્યા વગર મહેમાનોને ખવડાવતા નથી, તો શું મય્યિતને દફનાવતાં પહેલાં મહેમાનોને ફારિગ કરી લેવા જાઈઝ છે કે નહિ?
જવાબ :– પ્રથમ તો મય્યિતની નમાઝ અને દફન વિધિમાં મોડું કરવાની અને બહારથી આવનાર લોકોની રાહ જોવાની જે પ્રથા પ્રચલિત છે તે સુધારવાપાત્ર છે, કારણ કે હદીષ શરીફથી મય્યિતની અંતિમ વિધિમાં જલ્દી કરવાનો હુકમ સાબિત છે અને મય્યિત દફન થાય ત્યાં સુધી ખાવું મકરૂહ કે નાજાઇઝ નથી. મય્યિત દફન કરતાં પહેલાં પણ મહેમાનોને ખાવું ખવડાવી શકાય છે.
Log in or Register to save this content for later.