[૯૯] વિલાદતના કેટલા દિવસ પછી સોહબત

Chapter : તહારત

(Page : 141)

સવાલ :– ઓરતને છોકરૂં પેદા થઈ જવા બાદ કેટલા દિવસ સુધી સોહબત ન કરવી જોઈએ ?

જવાબ :– બધી ઓરતો માટે એકસરખી કોઈ સમય મર્યાદા નથી, કારણ કે દરેક ઓરતને બાળક જનમ્યા પછી આવતા લોહીની મુદ્દત અલગ અલગ હોય છે, માટે જે ઓરતને જ્યારે લોહી વહેવાનું સદંતર બંધ થઈ જાય ત્યાર પછી તેના ગુસલ કર્યા પછી તેનાથી સોહબત કરવી જાઈઝ છે અને જો બાળક જનમ્યા પછી ચાલીસ દિવસથી વધુ મુદ્દત લોહી વહેતું રહે તો તે બીમારીનું ખૂન છે, એટલે ચાલીસ દિવસ પછી ખૂન વહેવા છતાં સોહબત કરવી જાઈઝ છે.  (શામી, ભાગ–૧)

Log in or Register to save this content for later.