[૯૮] બીમારીવાળી ઓરતની હૈઝ–પાકીની વિગત

Chapter : તહારત

(Page : 140)

સવાલ : – અમુક ઓરતોને હૈઝ આવવાને પંદર દિવસ પૂરા પણ નથી થતા અને હૈઝ ફરીથી આવી જાય છે, જેમ કે એક ઓરતને મહિનાની પહેલી તારીખે હૈઝ આવ્યું અને છઠ્ઠી તારીખે પાક થઈ કે પાછુ ૧૩ તારીખે હૈઝ આવ્યું, આ હૈઝ પૂરા એના વખત સુધી આવ્યું તો આ અય્યામમાં પાકી ગણાશે કે કેમ ? જો પંદર દિવસ પાકીના ગણાય છે તો પહેલી તારીખથી ગણવા કે છઠ્ઠી તારીખથી ? અને જો પંદર દિવસમાં બે–ત્રણ દિવસ ખૂટતા હોય તો પણ ત્રણ દિવસની નમાઝ અદા કરવી પડશે કે કેમ ? એ ત્રણ દિવસમાં હમબિસ્તરી થઈ શકે ?

જવાબ : પૂછેલી સૂરતમાં પાકીના પંદર દિવસોની શરૂઆત છઠ્ઠી તારીખથી માનવામાં આવશે, જ્યારથી તેનું હૈઝ બંધ થયું હતું અને પાકીના પંદર દિવસ પૂરા થતાં સુધી એટલે કે ર૧ તારીખ સુધી તે ઓરત પાક ગણાશે, તેને નમાઝ પઢવી પડશે અને તેનાથી હમબિસ્તરી પણ હલાલ ગણાશે અને જો ર૧ તારીખ પછી પણ ખૂન ચાલુ રહે તો આગળની પાકીની મુદ્દતના પ્રમાણમાં દિવસો પૂરા થતાં સુધી પાક ગણાશે અને તે દિવસો પૂરા થયા પછી આગળની હૈઝની મુદ્દતના દિવસોના પ્રમાણમાં હૈઝ ગણવામાં આવશે આ બીમારીવાળી ઓરતનો મસ્અલો છે, માટે કોઈ સ્થાનિક આલિમ સા.થી સમજવો જરૂરી છે.  (શામી, ભા.૧)

Log in or Register to save this content for later.