Chapter : તહારત
(Page : 139)
સવાલ :– અમુક ઓરતોને હમલની હાલતમાં પણ નવ મહિના સુધી હૈઝ આવે છે, હાલાંકે કાયદો એ છે કે હમલની હાલતમાં હૈઝ બંધ થઈ જાય છે, તો આ હાલતમાં નમાઝ અદા કરવી કે કેમ ? અગર અદા કરવી જરૂરી છે તો હર નમાઝ પર ગુસલ કરવું પડશે યા ખાલી વુઝૂ કાફી છે ? શું આ લોહી હૈઝ ગણાશે કે બીમારી ? અને હમબિસ્તરીનો શું હુકમ છે?
જવાબ : –હમલવાળી ઓરતને બચ્ચું પેદા થતા પહેલાં હમલની હાલતમાં જે લોહી આવે તે બીમારીનું લોહી ગણાશે, તે દિવસોમાં વુઝૂ કરી નમાઝ પઢવી જરૂરી છે, ગુસલ કરવું જરૂરી નથી, ન પહેલી નમાઝ વખતે, ન દરેક નમાઝ પહેલાં અને આ હાલતમાં હમબિસ્તરી કરવી પણ હલાલ છે. (શામી, ભાગ–૧)
Log in or Register to save this content for later.