[૯૬] નિફાસના ગુસલ પછી લોહી શરૂ થાય

Chapter : તહારત

(Page : 138)

સવાલ :– ઓરતને બચ્ચુ પેદા થવા બાદ ૪૦ દિવસ નિફાસના હોય છે પણ અમુક ઓરતોને ૪૦ દિવસ પછી પાક થયા બાદ ફરી લોહી આવે છે તો તે દિવસો પાકીના કહેવાશે કે કેમ ? નમાઝ પઢી શકે ? તેના સાથે હમબિસ્તરી થઈ શકે ? અમુક ઓરતો બચ્ચુ પેદા થયા પછી રપ દિવસમાં જ પાક થઈ જાય છે, તો તેમણે નિફાસના ૪૦ દિવસ પૂરા કરવા જરૂરી છે યા નિફાસ બંધ થઈ જાય તો ગુસલ કરી નમાઝ અદા કરવી પડશે ?

જવાબ : – જે ઓરતને નિફાસના ૪૦ દિવસ પૂરા થયા પછી લોહી વહે, જો તે લોહી નિફાસના ચાલીસ દિવસ પૂરા થયા પછી પંદર દિવસ બાદ આવે તો તે હૈઝ ગણાશે, ન તેમાં નમાઝ પઢવી જાઈઝ ગણાશે અને ન હમબિસ્તરી હલાલ ગણાશે અને જો તે લોહી નિફાસના ૪૦ દિવસ પૂરા થયા પછી પંદર દિવસથી ઓછી મુદ્દત બાદ આવે તો તે બીમારીનું લોહી ગણાશે, તેમાં નમાઝ પણ પઢવી પડશે અને હમબિસ્તરી પણ હલાલ ગણાશે, જ્યાં સુધી કે આગળની આદત મુજબ પાકીના દિવસોની ગણતરી પૂરી થઈ જાય.

                જો પહેલી જ વિલાદત હોય તો રપ દિવસે લોહી બંધ થઈ ગયા બાદ ગુસલ કરી નમાઝ પઢવી જરૂરી છે, ૪૦ દિવસ પુરા કરવા જરૂરી નથી અને જો પહેલી વિલાદત ન હોય તો આવી આગળની વિલાદતની નિફાસની મુદ્દત જોવી પડશે, જો તે રપ દિવસ અથવા રપ દિવસથી ઓછી હતી તો આ વખતે રપ દિવસે નિફાસ બંધ થઈ ગયા બાદ ગુસલ કરી નમાઝ પણ પઢવી પડશે અને હમબિસ્તરી પણ હલાલ થઈ જશે અને આગળની વિલાદતની નિફાસની મુદ્દત રપ દિવસથી વધુ હતી તો આ વખતે રપ દિવસે બંધ થઈ ગયા બાદ ગુસલ કરી જે નમાઝના ટાઈમમાં પાક થાય તે નમાઝના આખરી વખતમાં તે નમાઝ પઢવી અને તે પછીની આવતી બીજી નમાઝો પઢવી તો જરૂરી છે, પરંતુ જ્યાં સુધી આગળની મુદ્દતના પ્રમાણમાં દિવસો પૂરા ન થાય ત્યાં સુધી હમબિસ્તરી કરવી જાઈઝ નથી.  (શામી, ભાગ–૧)

Log in or Register to save this content for later.