[૯૪] હૈઝની હાલતમાં હમબિસ્તરી

Chapter : તહારત

(Page : 136)

સવાલ : માણસને પોતાની ઔરતથી નાપાકીની હાલતમાં હમબિસ્તરીની રજા છે, તેની અંદર માણસને ઘણી વખતે એહતેલામ થઈ જાય છે અને ઘણી વખત માણસ પોતે જ એવા કાર્યો કરે છે, જેનાથી એનો આશય જ એહતેલામ કરવાનો હોય તો બન્ને હાલતમાં માણસ ગુનેહગાર થશે ? અથવા એ હાલતમાં એહતેલામ થવું એ હમબિસ્તરીમાં જ ગણાશે ? જેની ઈજાઝત આપવામાં આવેલ છે ? હમબિસ્તરીની ખરી રીત શું છે ?

જવાબ : હમબિસ્તરીનો શાબ્દિક અર્થ એક બિસ્તર ઉપર સાથે સુવાનો છે અને સવાલની વિગત મુજબ તેનો મતલબ છે એકનું શરીર બીજાના શરીરથી લગાડવું અને ઔરતની હૈઝની હાલતમાં ઔરતની દૂંટી (નાફ)થી લઈને ગુંઠણ સુધીના ભાગને ન મર્દ પોતાના શરીરનો કોઈ ભાગ લગાવી શકે છે, ન ઔરત પોતાના શરીરનો મજકૂર ભાગ શોહરના શરીરના કોઈ ભાગને લગાડી શકે છે અને આ પ્રમાણે જાઈઝ સૂરતમાં એક બીજાનું બદન લાગવાથી એહતેલામ થઈ જાય તો ગુનેહગાર નહિં થાય, પરંતુ એહતેલામના આશયથી ઔરતના બદનના મખ્સૂસ ભાગ સિવાય બીજા ભાગથી લગાડી એહતેલામ કરવું કરાહતથી ખાલી નથી. (શામી ભા. ૧/૧૯૪, ભાગ–ર/૧૦૦)

Log in or Register to save this content for later.