Chapter : નમાઝ
(Page : 443)
સવાલ :– ચાર એકરનું કબ્રસ્તાન છે જેમાં એક વીઘાંનું ખેતર આવેલું છે જેમાં કહેવા પ્રમાણે બિલકુલ દફનવિધિ થઈ નથી તો તે ભાગમાં જનાઝહની નમાઝ પઢી શકાય ?
જવાબ :– મજકૂર જગ્યા જેમાં દફન વિધિ થઈ નથી જો તેમાં નમાઝે જનાઝહ પઢવામાં કિબ્લા તરફ કબ્રો પડતી નથી અથવા કબરો છે પણ નમાઝની સફો અને કબ્રોની વચમાં દીવારની આડ છે અથવા કબ્રો એટલી દૂર છે કે નમાઝની હાલતમાં સજદહની જગ્યાએ નિગાહ રાખતાં ત્યાં નજર પહોંચતી નથી તો આ સૂરતોમાં મજકૂર જગ્યાએ નમાઝ પઢવી જાઈઝ છે નહિંતર આવી જગ્યામાં નમાઝ પઢવી મકરૂહ છે. (શામી –૧/રપ૪, તહતાવી–૧૯૬)
Log in or Register to save this content for later.