Chapter : નમાઝ
(Page : 419-420)
સવાલઃ – શું પુરુષ અથવા ઓરતની મય્યિતના કફન ઉપર અત્તર લગાડવું અથવા છાંટવું બિદઅત અને જહાલત છે?
જવાબઃ– મય્યિત પુરુષ અને ઓરત બન્નેવના કફનના કપડાંઓને એકી સંખ્યામાં ખુશબોની ધૂણી આપવી અને બન્ને પ્રકારની મય્યિતના કફન પર આલ્કોહોલ મુકત કોઈ પાક અત્તર લગાડવું અથવા ફુવારાથી છાંટવું મુસ્તહબ છે.
હઝરત મવ. મુફતી મહમૂદ હસન ગંગોહી (રહ.) કફન ઉપર ખુશબો લગાડવાને મુસ્તહબ બતાવી ”રસાઈલુલ્ અરકાન” નામી અરબી કિતાબથી નકલ ફરમાવે છે કે મય્યિતને કફન પહેરાવવાનો તરીકો આ છે કે પ્રથમ કફનના કપડાઓને ખુશબોદાર ધૂણી આપવામાં આવે અને તેના ઉપર સુગંધ છાંટવામાં આવે. (ફ. મહમૂદિય્યહ ૩૯૯–ર)
”શર્હે મુન્યહ” પેજ નંબર પ૮૧ ઉપર પણ છે કે મય્યિતને કફન આપવાનો તરીકો આ પ્રમાણે છે કે કફનની મોટી ચાદર (લિફાફહ) કોઈ ચટાઈ અથવા શેતરંજી પર પાથરવામાં આવે, પછી તેની ઉપર કોઈ સુગંધ છાંટવામાં આવે, પછી લિફાફહ પર ઈઝાર નામી ચાદર પાથરવામાં આવે અને તેના ઉપર પણ કોઈ સુગંધ છાંટવામાં આવે અને પછી કુરતામાં પણ એ જ પ્રમાણે કરવામાં આવે છે.
ઉકત વિગતથી માલૂમ પડયું કે મય્યિતના કફન ઉપર અત્તર લગાડવું બિદઅત અને જહાલત નથી, બલ્કે મુસ્તહબ છે, પરંતુ પુરુષ મય્યિતના શરીર અથવા કફન ઉપર જાફરાન (કેસર) અથવા વર્સ નામી વનસ્પતિની સુગંધ લગાડવી અને છાંટવી મકરૂહ અને જહાલત છે. જેવી રીતે પુરુષ માટે તેની હયાતીમાં મજકૂર સુગંધ વાપરવાની મનાઈ છે. (તહતાવી ૩૧ર)
અને ઉપરના જવાબમાં જણાવેલ વિગત મુજબ ઓરત મય્યિતના શરીર અને કફન પર મહેકતી સુગંધ લગાડવાની મનાઈ છે, જેવી રીતે તેની હયાતીમાં મહેકતી સુગંધના જાહેર ઉપયોગની તેના માટે મનાઈ છે.
Log in or Register to save this content for later.