Chapter : નમાઝ
(Page : 417-418-419)
સવાલ :– મય્યિત ઓરતને ખુશબોદાર અત્તર લગાડવું જાઈઝ છે કે નહિ? જવાબઃ– ઓરત મય્યિતના બદન અથવા કફન પર મહેકતું અત્તર લગાડવાની મનાઈ કોઈ કિતાબમાં નજરે પડી નથી. અલબત્ત, ઓરત માટે તેની હયાતીની હાલતમાં મહેકતું અત્તર લગાડીને ગેર મહરમ પુરુષો પાસેથી પસાર થવાની અને મહેકતું અત્તર લગાડીને ઘરથી બહાર નીકળવાની મનાઈ કુર્આન મજીદ અને હદીષ શરીફથી સાબિત છે.
અલ્લાહ તઆલા ઓરતોને હુકમ આપતાં ફરમાવે છે :
વલા યદ્રિબ્ન બિઅર્જુલિહિન્ન લિયુઅ્લમ મા યુખ્ફીન મિન્ ઝીનતિહીન્ન.
અને ઓરતો પોતાના પગો (એ પ્રમાણે) જોરપૂર્વક ન મૂકે કે તેઓના છુપાયેલા શણગારની (ગેર મહરમોને) ખબર પડી જાય. (સૂરએ નૂરઃ ૩૧)
આ આયતના અનુસંધાનમાં હઝ.મવ.મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) લખે છે કે ઓરત માટે જરૂરતના કારણે ઘરથી બહાર નીકળતી વખતે એવું અત્તર અથવા અન્ય કોઈ સુગંધ (પાવડર, ક્રીમ, સાબુ) વાપરવી કે જેની મહેક પરાયા પુરુષો સુધી પહોંચે એ નાજાઈઝ છે.
(અ.કુર્આન ૪૩૪ ભાગઃ૩, મ.કુર્આન –૬)
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ છે કે જે કોઈ ઓરત મહેકતી ખુશબો લગાવીને ઘરથી બહાર નીકળે છે અને (પરાયા) પુરુષો તેની તરફ જુએ છે તો તે ઓરત ઘરે પાછા ફરતા સુધી અલ્લાહ તઆલાની નારાઝગી હેઠળ રહે છે. (તબરાની)
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું બીજું એક ફરમાન છે કે જયારે ઓરત અત્તર લગાડીને (ગેર મહરમ) પુુરુષો પાસેથી પસાર થાય છે તાકે તેઓ તેની ફોરમ સૂંઘે તેવી ઓરત ઝિનાકાર છે. (નસાઈ)
બીજી એક હદીષમાં છે કે જે ઓરત મસ્જિદ જવા માટે ખુશબોનો ઉપયોગ કરે છે તો અલ્લાહ તઆલા ત્યાં સુધી તેની નમાઝ કબૂલ નથી ફરમાવતા જયાં સુધી તે નમાઝ માટે જનાબતની જેમ ગુસલ ન કરી લે. (મુસ્નદે અહમદ)
ઓરતના પર્દાની બાબત જોઈએ તો ઓરતની હયાતીમાં જે રીતે પર્દો કરવાનો હુકમ છે તેવી જ રીતે તેની મવત પછી પણ પર્દો જાળવવાનો હુકમ છે. માટે તેના ગુસલ અને કફનની કાર્યવાહીમાં માત્ર ઓરતો જ ભાગ લઈ શકે છે અને તેને કબ્રમાં ઉતારતી વખતે પણ તેના ઝીરહિમ મહરમ મર્દોએ ભાગ લેવાનો હોય છે અને જો તેઓ મવજૂદ ન હોય તો અજનબી નેક મર્દો તેને કબ્રમાં ઉતારશે. (કબીરી પ૯૭, શામી : પ૭પ–૧)
ફુકહાએ કિરામ (રહ.) લખે છે કે ઓરતના શરીરના જે અંગોનું તેની હયાતીમાં બીજા માટે જોવું જાઈઝ નથી, ઓરતની વફાત પછી પણ ઓરતના તે અંગોનું બીજા માટે જોવું જાઈઝ નથી. (શામી: ર૩૮/પ)
હવે મહેકતા અત્તરને જોઈએ તો તેનો સંબંધ પણ પર્દાથી જ છે અને ઉપરની વિગત મુજબ પર્દાનો હુકમ હયાત ઓરત અને મય્યિત ઓરત બન્નેને લાગુ પડે છે, એવી જ રીતે મહેકતા અત્તરનો હુકમ પણ હયાત અને મવત બન્ને હાલતમાં લાગુ પડવો જોઈએ, માટે જેવી રીતે ઓરતની હયાતીમાં તેના માટે મહેકતા અત્તરની મનાઈ છે, એવી જ રીતે મવત પછી પણ તેના શરીર અને કફન પર એવું અત્તર લગાડવાની મનાઈ છે કે જેની ફોરમ ખૂબ ફેલાતી હોય, અલબત્ત ઓરતના માથા અને કફન ઉપર પણ એવું અત્તર મુસ્તહબ છે, જેની સુગંધ વધુ ફેલાતી ન હોય. (કબીરી પ૭૯)
Log in or Register to save this content for later.