Chapter : નમાઝ
(Page : 408-409-410)
સવાલ : – જયારે કોઈના ત્યાં મય્યિત થાય છે તો વફાતના ચોથા દિવસે અને દરેક વર્ષે એની વફાતની તારીખમાં લોકોને કુર્આન શરીફ પઢવા માટે ભેગા કરવામાં આવે છે. અને ખાવુ પકાવી અથવા દૂધ પકાવી પઢનારાઓને અને બીજાઓને ખવડાવવામાં કે પીવડાવવામાં આવે છે અને મય્યિતને ઈસાલે સવાબ કરવામાં આવે છે, તો આ પ્રમાણે કુરઆન શરીફ પઢાવવું અને ખવડાવી ઈસાલે સવાબ કરવું કેવું છે? અમુક જગ્યાએ પઢનારાઓને પૈસા પણ દેવાનો રિવાજ છે.
જવાબ : – કુરઆન શરીફનું દૌર પઢાવી અથવા નફલ નમાઝ પઢી, રોઝા રાખી અથવા ગરીબોને ખાવુ ખવડાવી મય્યિતને સવાબ પહોંચાડવો જાઈઝ બલ્કે સવાબનું કામ છે. (શામી–૧/૬૦પ)
પરંતુ સવાલમાં લખવા મુજબ આ નેક કામો માટે કોઈ સમય નકકી કરી લેવો અને તેને ઝરૂરી સમજી તે જ સમયે એ કામો કરવા એ નાજાઈઝ અને બિદઅત છે. (કિ.મુફતી પેઃ ૧૪૦ ભાગઃ૪)
અલ્લામહ શામી (રહ.) ફતાવા બઝાઝિયહથી નકલ કરે છે કે ”મૌત થયાના પહેલા દિવસે, ત્રીજા દિવસે, અઠવાડિયું પુરૂં થયા પછી ખાવુ પકાવવું અને ખાસ ખાસ સમયે કબ્રો પર ખાવુ લઈ જવું મકરૂહ છે. એવી જ રીતે કુર્આન શરીફ પઢવા પઢાવવા માટે દઅવત કરવી અને નેક તથા કુર્આન પઢનારાઓને ખત્મે કુર્આન અથવા સૂરએ અન્આમ અથવા સૂરએ ઈખલાસ પઢવા ભેગા કરવા પણ મકરૂહ છે” ખુલાસો એ છે કે કુર્આન પઢવા માટે ખાવુ પકાવવું મકરૂહ છે. અને ફતાવા બઝાઝિયહમાં જ કિતાબુલ ઈસ્તિહસાનમાં છે કે ગરીબો માટે ખાવું પકાવવું બેહતર છે. (શામી ૬૦૩ ભાગઃ ૧)
દૌર પઢનારાઓએ કુર્આન શરીફ પઢવા પર દઅવત ખાવી અને એમને ખવડાવવી અને પૈસા લેવાદેવા જાઈઝ નથી, કારણ કે એ દઅવત તથા પૈસા એક પ્રકારની પઢવાની ઉજરત (મજદૂરી) છે. અને ફકત કુર્આન શરીફ પઢવા પર ઉજરત લેવીદેવી નાજાઈઝ છે. (કીફાયતુલ મુફતી પેજ : રર૧ ભાગ :૧)
ઈસાલે સવાબ માટે કુર્આન શરીફ પઢનારાઓને પૈસા લેવા દેવા બાબત તહકીક કરતાં અલ્લામહ શામી(રહ.) શૈખ તાજુશ્શ્રીઅહ (રહ.) ની શર્હે હિદાયહથી નકલ કરે છે કે બદલો લઈ કુર્આન પઢવાથી ન મય્યિતને સવાબ મળે છે ન પઢનારને. અલ્લામહ અય્ની (રહ.)ની શર્હે હિદાયહથી નકલ કરે છે કે દુન્યવી માલની લાલચથી ઈસાલે સવાબ માટે કુર્આન શરીફ પઢવું નાજાઇઝ છે અને માલ લેનાર દેનાર બન્નેવ ગુનેહગાર થશે. ખુલાસો એ કે આજ કાલ હમારા જમાનામાં બદલો લઈ કુર્આન શરીફ પઢવાનો જે રિવાજ પ્રચલિત છે એ જાઈઝ નથી, કારણ કે આ રિવાજમાં કુર્આન પઢી પઢાવનારને (અથવા મય્યિતને) સવાબ આપી દેવાનો હુકમ કરવામાં આવે છે અને માલની લાલચથી પઢવામાં આવે છે જયારે આ પ્રમાણે પઢવાથી ખાલિસ લિવજહિલ્લાહની સહીહ નિય્યત ન હોવાથી પઢનારને જ સવાબ નથી મળતો તો આ પ્રમાણે પઢાવનારને કયાંથી સવાબ મળશે ! અને જો (દઅવત રૂપે અથવા રોકડ રકમથી) બદલો ન દેવામાં આવે તો આ સંજોગોમાં કોઈ આ પ્રમાણે કોઈના ઈસાલે સવાબ માટે કુર્આન શરીફ પઢવા તૈયાર ના થાય. (શામી પ/૩૯)
આ પ્રમાણે લોકોને ભેગા કરી જોર જોરથી કુર્આન શરીફ પઢવું અને ઈસાલે સવાબ કરવું એનો રિવાજ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના સમયમાં તથા ખુલફાએ રાશીદીન (રદિ.)ના સમયમાં ન હતો. એટલે ઝરૂરી છે કે નેકી બરબાદ ગુનાહ લાઝિમ જેવા આ કૃત્યનો ત્યાગ કરવામાં આવે અને લોકો શું કહેશે એના ભયથી વધારે અલ્લાહ તઆલાથી ખૌફ કરવામાં આવે.
Log in or Register to save this content for later.