[૩૦૪ ] મય્યિતની પેશાની પર કલિમહ લખવો

Chapter : નમાઝ

(Page : 406-407-408)

સવાલ  : – એક મોલ્વી સાહેબ એક ગામમાં પઢાવે છે. તે ગામમાં એક અવરતનો ઈન્તિકાલ થઈ ગયો, મરનાર અવરતના ઘરવાળાઓએ  મોલ્વી સાહેબને બોલાવ્યા, અને કહયું કે મરનાર અવરતની પેશાની ઉપર કલિમએ તય્યિબહ લખી આપો. તો આ પ્રમાણે કલિમએ તય્યિબહ લખવું કેવું છે ? અને લખનાર માટે શું વઈદ છે ?

જવાબ  : – મરનાર અવરતની પેશાની પર ગુસલ આપ્યા બાદ ફકત શહાદતની સૂકી આંગળીથી (શાહી કે બીજી કોઈ વસ્તુ આંગળી પર લગાવ્યા વગર કે જેનો અસર લખવા બાદ પેશાની પર બાકી રહે) ”બિસ્મિલ્લાહિ ર્રહમાનિર્રહીમ” લખવું જાઈઝ છે, સુન્નત કે વાજિબ નથી. ગુસલ આપતાં પહેલા ન લખી શકાય, કારણ કે મય્યિતનું બદન નાપાક છે.                                        (શામીઃ ભાગઃ ૧/૬૦૭)

               પરંતુ આ પ્રમાણે લખનાર કોઈ અવરત હોવી જોઈએ. જેવી રીતે કે ગુસલ દેવામાં અવરતનું હોવું જરૂરી છે અથવા લખનાર મર્દ અવરતનો કોઈ મહરમ રિશ્તેદાર હોય કે જેનાથી આ મરનાર અવરતે હંમેશા માટે શાદી કરવી પોતાની હયાતીમાં હરામ હતી.

               મોલ્વી સાહેબ જો અવરતના મહરમ ન હોય તો તેમના માટે જાઈઝ નથી કે આવી રીતે ગેર મહરમ ઓરતને હાથ લગાવે, કારણ કે ગેર મહરમ ઓરતની હયાતીમાં તેના ચેહરાને કે બીજા કોઈ ભાગને હાથ લગાવવો જાઈઝ નથી; એવી જ રીતે એવી અવરતની વફાત પછી પણ ગેર મહરમ માટે એ જ હુકમ રહેશે.

(દૂર્રે મુખ્તાર ભાગઃપ,પેજ ર૬૦)

               હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ, હઝરત અલી (રદિ.)ને ફરમાવ્યું કે, ન તમો હયાત માણસની જાંગને જુઓ. ન તો મય્યિતની જાંગને.                                          (કબીરી : પ૭૭)

               એટલા જ માટે મસ્અલો છે કે, જો કોઈ અવરત એવી જગ્યાએ વફાત પામે જયાં મર્દો સિવાય કોઈ અવરત ન હોય, ન કાફિર ન મુસલમાન અને ન કોઈ એવો નાની ઉંમરનો છોકરો હોય કે જે ગુસલ શીખવાડવાથી આપી શકે તો તે અવરતને પણ ગુસલ પણ નહિં દેવામાં આવે, તયમ્મુમ કરાવવામાં આવશે અને તયમ્મુમ કરાવનાર પણ જો ગેર મહરમ હશે તો તયમ્મુમ કરાવવા માટે તેણે હાથ પર કપડું લપેટવું પડશે અને હાથ પર મસહ કરતી વખતે કલાઈને જોવાથી બચવું પડશે. એટલા જ કારણથી કે ગેર મહરમ માટે હાથ લગાવવો જાઈઝ નથી અને કલાઈ વફાત પછી પણ જોવી જાઈઝ નથી.

                   (શામી ૧/પ૭પ, દુર્રે મુખ્તાર મઅશ્શામી –૧/પ૭૮)

ગેર મહરમ અવરતને હાથ લગાડવો એને હદીષ શરીફમાં ઝિના બતાવવામાં આવ્યું છે.  (મિશ્કાત શરીફ –૧/ ર૦)

               માટે જો મોલ્વી સાહેબ આ કૃત્ય પર બાકી રહેશે તો ફાસિક ગણાશે અને એવા ઈમામની પાછળ નમાઝ મકરૂહ થશે.

Log in or Register to save this content for later.