Chapter : નમાઝ
(Page : 441-442)
સવાલઃ– કયા કયા મવતને શહીદના દરજાનું મવત કહેવાય?
જવાબઃ– હદીસોમાં જે પ્રકારના મૌતને શહીદના દરજાનું મૌત અને જે હાલતના મૌતમાં શહીદનો સવાબ બતાવવામાં આવ્યો છે તે ઘણા છે અમુક ઉલમાએ કિરામે પચાસ સુધી ગણત્રી કરી છે. જેમકે તાઉનની બીમારીમાં મરનાર, જલંધર અથવા વધુ ઝાડા થવાથી મરનાર, ડૂબીને, સળગીને, કોઈ વસ્તુ નીચે દબાઈને મરનાર, હમલની અથવા નિફાસની હાલતમાં મરનાર, ટીબીની બીમારીથી મરનાર, મિર્ગી, તાવ અને બગલમાં નીકળતા ગૂમડાઓથી મરનાર, પોતાની જાન, માલ અથવા અહલની હિફાઝત કરતા મરનાર, કોઈ ઝેરી જાનવરના કરડવાથી મરનાર, પરદેશમાં મરનાર, ઈલ્મેદીન પ્રાપ્ત કરવાની હાલતમાં, જુમ્અહની રાત્રે મરનાર, વગર પગારે અઝાન દેનાર, અમાનતદાર અને સાચુ બોલનાર વેપારી, ઉમ્મતમાં છૂટેલી સુન્નતો પર અમલ કરનાર. (શામી – ૬૧૧/૧)
Log in or Register to save this content for later.