[૩ર૭] કબ્રસ્તાનનું કબ્રો ઉપરનું લીલું, સૂકું ઘાસ કાપવું અને વેચવું

Chapter : નમાઝ

(Page : 440-441)

સવાલ :– અમોએ કબ્રસ્તાન માટે એક ખેતર ખરીદ્યુ છે. હાલમાં ત્યાં એક ખૂણામાં ફકત મય્યિતોની કબ્રો છે, બાકીનું આખું ખેતર જેમનું તેમ છે, ચોમાસાના લઈને આખા ખેતરમાં ઘાસ ઘણું ઉગી નીકળ્યું છે, તો એ ઘાસ હમો હરાજીથી કપાવીને એના નાણા કબ્રસ્તાનના ઉપયોગમાં લઈ શકીએ છે કે કેમ? અથવા એ ઘાસ સુકાય જાય પછી એની હરાજી કરીએ તો તે જાઈઝ છે કે કેમ? અને તેના નાણા કબ્રસ્તાનના ઉપયોગમાં લઈએ તો ચાલે કે કેમ?

જવાબ :– બે મસ્અલહ અલગ અલગ છે :

કબ્રસ્તાનનું કબ્રો સિવાયનું લીલું કે સુકું ઘાસ કાપી શકાય કે નહિં? અને લીલું કે સુકું ઘાસ કાપ્યા વગર ઉગેલી હાલતમાં હરાજીથી વેચી શકાય કે નહિં?

               પહેલા મસ્અલહનો હુકમ તો એ છે કે ફિકહની અમુક કિતાબો (જેમ કે કબીરી)થી માલૂમ પડે છે કે કબરો વાળી જગ્યા સિવાયનું લીલું ઘાસ કાપવાની ગુંજાઈશ છે અને સૂકાય ગયા પછી તો કબરો ઉપરનું અને બાજુ પરનું બધુ જ કાપી શકાય છે.        (કબીરી–૬૦૭)

               બીજા મસ્અલહનો હુકમ એ છે કે કબ્રો પરનું અને તેની બાજુ પરનું લીલું કે સુકુ ઘાસ ઉગેલી એટલે કે ઉભા હોવાની હાલતમાં વેચવું (ચાહે હરાજીથી હોય) બાતિલ અને નાજાઈઝ છે તે, વેચાણથી આવેલી રકમ કબ્રસ્તાનના ઉપયોગમાં ન લઈ શકાય.

               હા, જે હાલતમાં ઘાસ કાપવું જાઈઝ છે તે હાલતમાં કબ્રસ્તાનના વહીવટકર્તા મજુરોથી કપાવીને પછી તે કાપેલા ઘાસને વેચે તો જાઈઝ છે અને તે રકમ કબ્રસ્તાનના ઉપયોગમાં લઈ શકાય છે.

(દુ.મુખ્તાર, શામી–૧૧૦/૪)

Log in or Register to save this content for later.