Chapter : નમાઝ
(Page : 431-432-433)
સવાલ :– મય્યિતને કબ્રમાં દફનાવ્યા પછી ફાતેહાથી ફારિગ થઈને કબ્ર પર અઝાન આપવી કુર્આન શરીફ અથવા હદીસ શરીફથી સાબિત છે? અથવા કોઈ મોઅતબર કિતાબમાં લખ્યું છે? અમુક લોકો દલીલ કરે છે કે હદીસ શરીફમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવે છે કે ‘લક્કિનૂ મૌતાકુમ્ લાઈલાહ ઈલ્લલ્લાહ’ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી તલકીન સાબિત છે અને આ હદીસ શરીફને કબ્ર પર અઝાન દેવા બાબત દલીલ તરીકે રજુ કરે છે તો શું એ લોકો જે કહે છે તે સહીહ છે?
જવાબ :– મય્યિતને દફન કર્યા પછી અઝાન દેવાનો અમલ ન આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના સમય મુબારકમાં હતો, ન સહાબાએ કિરામ, તાબેઈન અને તબ્એ તાબેઈન (રહ.)ના સમયમાં હતો અને ન તો મુજતહિદ ઈમામો (રહ.)ના સમયમાં હતો. કબ્ર પર અઝાન દેવા વિષે હુકમ ન આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સાબિત છે, ન સહાબાએ કિરામ (રદિ.) થી કે મુજતહિદ ઈમામોથી સાબિત છે, અને ન હનફી ફિકહની કિતાબોમાં સાબિત છે, બલ્કે હનફી ફિકહની કિતાબોમાં એને બિદઅત અને નાજાઈઝ બતાવવામાં આવ્યું છે. એ બાબત વિસ્તૃત માહિતી જુઓ શામી–પે રપ૮/૬૦૦ ભાગઃ૧, ફતાવા રશીદિય્યહ પે–૧૪૪, કિફાયતુલ મુફતી પે–પ૩ ભાગ–૪)
ફતાવા રશીદિય્યહમાં એના બિદઅત હોવા વિષે અનેક હનફી ઉલમાએ કિરામનો મત ફિકહે હનફીની અનેક કિતાબોના હવાલાથી નકલ કરવામાં આવ્યો છે, જેમાં મકકહ મુકર્રમહના મુફતી મૌલાના અબ્દુલ્લાહ મીરગની સાહબ તથા મવલાના શાહ મુહમ્મદ ઈસ્હાક મુહદ્દિસ દહેલવી (રહ.)ના ફતાવાઓ પણ શામેલ છે.
”લક્કિનૂ મવતાકુમ્”ની હદીષને કબ્ર પર અઝાન બાબત દલીલ બનાવવી હનફી ફુકહાએ કિરામ અને શારિહીને હદીષની ઈબારતોના બિલ્કુલ વિરૂધ્ધ છે અને જે લોકો દફન બાદ તલકીનના મુસ્તહબ હોવાના સમર્થકો છે તેઓની રજુ કરેલી હદીષોના પણ વિરૂધ્ધ છે.
હિદાયા અવ્વલૈન–૧૬૦, અશિઅ્અતુલ્લમઆત –૧/૬૬૦, મિર્કાત શર્હે મિશ્કાત–૪/૧ર અને શામી–૧/પ૭૧માં શર્હે મુન્યહથી નકલ કરી લખવામાં આવ્યું છે કે ઉપરોકત હદીષનો મતલબ મરતા પહેલાં સકરાતની હાલતમાં શહાદતૈનની તલકીન કરવાનો છે, મરી ગયા પછી તલકીન કરવાનો નથી.
અને જે લોકો દફન બાદ તલકીનનું મુસ્તહબ હોવું માને છે તેઓને ત્યાં પણ એનો તરીકો અઝાન દેવાનો નથી, તલકીનનો મતલબ અઝાન દેવાનો કોઈ શર્હમાં મવજૂદ નથી બલ્કે હઝ. અબૂ ઉમામહ (રદિ.)ની હદીષથી એનો એક ચોકકસ તરીકો નકલ કરવામાં આવેલ છે. (શામી – પ૭૧ /૧, અશિઅ્અહ ૧ર૧/૧)
Log in or Register to save this content for later.