Chapter : તહારત
(Page : 153)
સવાલ :– તેલમાં ઉંદર મરી જાય તો તેને ઉપયોગમાં લઈ શકાય કે નહિ? અને કયા કયા ઉપયોગમાં લઈ શકાય ?
જવાબ :– જો તે નાપાક તેલને પાક કરી લેવામાં આવે તો પોતાના ખાવા–પીવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે અને પોતાના જાનવરોના ખાવા–પીવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે અને અન્ય ગમે તે જાઈઝ ઉપયોગમાં તેને લઈ શકાય છે. અને તેને પાક કરવાનો તરીકો આ પ્રમાણે છે કે,
જેટલું તેલ હોય તેટલા જ પ્રમાણમાં અથવા તેથી વધુ પ્રમાણમાં તે તેલમાં પાણી નાખીને તેને એટલું ગરમ કરવામાં આવે કે બધું પાણી બળી જાય અને જો તેલ પ્રવાહી હોય જામ ન થઈ ગયું હોય તો તેને પાક કરવાનો બીજો તરીકો આ પણ છે કે તેમાં તેટલા જ અથવા તેથી વધુ પ્રમાણમાં પાણી નાખી હલાવવામાં આવે અને જયારે તેલ પાણીની ઉપર આવી જાય તો તેને ગરમ કર્યા વિના બીજા વાસણમાં અલગ કાઢી લેવામાં આવે અને આ પ્રમાણે કુલ ત્રણ વાર કરવામાં આવે તો તેલ પાક થઈ જશે.
અને જો તે નાપાક તેલને પાક કર્યા વિના ઉપયોગમાં લેવું હોય તો ખાવા– પીવા સિવાય બીજા ઉપયોગમાં લઈ શકાય છે, જેમ કે સાબુ બનાવવામાં આવે અથવા દીવા–બત્તીમાં ઉપયોગ કરી શકાય છે, તેના નાપાક હોવાની ચોખવટ કરીને કોઈને વેચાણ પણ આપી શકાય છે. (‘શામી ૧/૧૪પ,રરર)
Log in or Register to save this content for later.