[૧૦૬] શરીર કે કપડા ઉપર કેટલા પ્રમાણમાં નજાસતે ગલીઝહ માફ છે ?

Chapter : તહારત

(Page : 147)

સવાલ :– નજાસતે ગલીઝા જિસમવાળી શરીર અથવા કપડાં પર કેટલી લાગે તો નાપાક થઈ જશે ? માશા વગેરે જે વજનથી લખે છે તે નહિ પણ આમ બોલચાલમાં જણાવશો.

જવાબ :– જિસમવાળી નજાસતે ગલીઝા થોડા કે વધારે જે પણ પ્રમાણમાં કપડાંને કે શરીરને લાગશે તેટલી જગ્યા  તો નાપાક થઈ જ જશે, પરંતુ જો થોડી લાગી હોય જે જૂના અરબી વજન પ્રમાણે એક દિરહમ હોય (અને તે પણ મોટો દિરહમ જે ર૦ કીરાતનો હતો તે મોઅતબર છે જે ઝકાતમાં માન્ય દિરહમથી ભારે છે કારણ કે ઝકાતવાળો દિરહમ ૧૪ કિરાતનો હતો) અથવા તેનાથી થોડી હોય તો માફ છે.

                એટલે કે બદન કે કપડાં પર એટલી નાપાકી છતાં નમાઝ દુરુસ્ત થઈ જશે, પરંતુ જો આ માફ પ્રમાણની નાપાકીનું કપડાં કે શરીર પર હોવું જાણમાં હોય અને તેને ધોઈને દૂર કરવાની (સમય, પાણી, વગેેરે સાધનો દ્વારા) કુદરત પણ હોય અને તે છતાં નાપાકી સાથે નમાઝ પઢશે તો મકરૂહ છે.

                અને હિંદુસ્તાની જૂના વજન પ્રમાણે મજકૂર દિરહમ ૪ માશા અને ૪ રતી થાય છે, જે નવા વજનથી લગભગ ૪ ગ્રામના બરાબર થશે.

Log in or Register to save this content for later.