Chapter : તહારત
(Page : 145)
સવાલ :– કુર્આન શરીફ પઢતી વેળાએ ઘણા લોકો પાનાઓ ફેરવવા માટે આંગળીને મોંના થૂંકથી ભીનાશવાળી કરી ફેરવે છે, તો આ પ્રમાણે થૂંકના ભીનાશવાળી આંગળીથી પાનાઓ ફેરવવા જાઈઝ છે કે નહિ ?
જવાબ :– હઝરત મૌલાના થાનવી (રહ.)એ એનું જાઈઝ હોવું સાબિત ફરમાવ્યું છે, કારણકે માણસનું થૂક પાક છે અને ‘હજરે અસ્વદને ચુંબન કરવું સુન્નત છે અને ચુંબન કરવામાં થૂંક લાગવાની શકયતા હોવા છતાં તેને બેઅદબી સમજવામાં નથી આવી.
એવી જ રીતે હઝરત ઉમર ફારૂક (રદિ.) અને હઝરત ઉસ્માન ગની (રદિ.)થી કુર્આન શરફીને ચુંબન કરવું નકલ કરવામાં આવ્યું છે, જયારે ચુંબન કરવામાં થૂંક લાગવાની શકયતા કે ભીનાશ લાગવાનો ગાલિબ ગુમાન હોવા છતાં તેની મનાઈ નથી.
એ જ પ્રમાણે થૂંકના ભીનાશવાળી આંગળીથી પાનાઓ ફેરવવાની પણ મનાઈ નથી, જાઈઝ છે. (‘ઈમ્દાદુલ ફતાવા ૧/૭૧, ‘દુર્રે મુખ્તાર પ/ર૪૬)
Log in or Register to save this content for later.