Chapter : તહારત
(Page : 144)
સવાલ :– ફુવારાથી જે અત્તર વપરાય છે, જેમાં વધારે પડતું સેન્ટ આવે છે અને ઘણાઓનું કહેવું છે કે સેન્ટમાં દારૂનો ભાગ આવે છે, જેથી ફુવારાવાળું સેન્ટ ન વાપરવું જોઈએ, તો શું આ વાત બરાબર છે?
જવાબ :– ફુવારાદાર અત્તરમાં અને સેન્ટમાં દારૂનો ભાગ હોય છે, એની અહકરને તહકીક નથી; પરંતુ અત્તરમાં અને સેન્ટમાં દારૂની મિલાવટ હોવી જે ‘અલ્ કોહલથી ઓળખાય છે, એ વાત લોકોમાં આમ પ્રચલિત છે અને અમુક અનુભવ આધારિત નિશાનીઓ પણ બયાન કરવામાં આવે છે, અમુક અત્તરની શીશીઓ અને પેકીંગ પર અંગ્રેજીમાં (Free From Alcohol) કિંવા ‘આ અત્તર અલ્ કોહલ મુકત છે એવી સૂચના લખવામાં આવે છે, એ પરથી પણ સાબિત થાય છે કે અત્તરોમાં દારૂ વપરાય છે અને દારૂ વિષે ઈમામ મુહમ્મદ (રહ.)ના મુફતા બિહી મઝહબ પ્રમાણે તે ગમે તે પ્રકારનો હોય અને ગમે તેટલા પ્રમાણમાં હોય એનો ઉપયોગ કરવો હરામ છે અને તે નાપાક છે.
અત્તર ઉપયોગ કરવા વિષે એવી મજબૂરી પણ નથી કે અત્તર ઉપયોગ કરવું જ પડે અને ‘અલ્ કોહલ મુકત અત્તર ન મળે, માટે એવા અત્તરનો ઉપયોગ કરવો જાઈઝ નથી જેમાં આ પ્રમાણે દારૂની મિલાવટ હોય અને ન એવા અત્તરનું ખરીદ–વેચાણ જાઈઝ છે. (‘શામી, ‘દુર્રે મુખ્તાર પ/ર૮૯–ર૯૩, ‘ઈમ.ફતાવા ૧/૧૩ર)
Log in or Register to save this content for later.