Chapter : તહારત
(Page : 141)
સવાલ :– એક ઔરતને દર મહિને માસિક નક્કી તારીખોમાં છ દિવસ આવે છે, (માસિક પિરીઅડ ૬ દિવસનો છે) માસિક આવવાના છ દિવસ પહેલાં સવાર–સાંજ ખૂનના એક–બે ટીપાં આવે છે, ફકત ટીપાં માલૂમ પડે છે તો પૂછવાનું આ છે કે માસિક પિરીઅડ પહેલાં જે ખૂનનાં ટીપાં સવાર–સાંજ દેખાય છે, તે હૈઝના દિવસોમાં ગણવામાં આવશે કે નહિં ?
આ છ દિવસોમાં કમરમાં દુખાવો અને તબીઅત સુસ્ત રહે છે, આ દિવસોમાં નમાઝ, રોઝા અદા કરવામાં આવે કે નહિં ? સવારમાં ખૂનનું ટીપું હોય ત્યાર પછી બંધ, પછી સાંજે ખૂનનું ટીપું દેખાય છે, આ છ દિવસ પછી માસિક ખૂન બરાબર આવે છે. ખુલાસાથી જવાબ આપશો.
જવાબ :– ૧પ દિવસો પાકીની હાલતમાં પસાર થયા પછી ઔરતને એક બે ટીપાં લોહી આવે અને તે પછી છ દિવસો લોહી બંધ રહીને ફરી શરૂ થાય અને બરાબર વહેતું રહે તો આ સૂરતમાં મજકૂર એક બે ટીપાં લોહી હૈઝ ગણાશે અને તે પછીના ચાર દિવસો પણ હૈઝના જ ગણાશે અને એક બે ટીપાંથી શરૂ થવાથી લઈને ૧૦ દિવસો પૂરા થતાં સુધી હૈઝ ગણાશે અને ૧૦ દિવસોથી વધુ લોહી આવે તો તે બીમારીનું ખૂન ગણાશે.
આ તે સૂરતમાં જ્યારે કે હૈઝ આવવાનું ઔરતને શરૂ થયું ત્યારથી જ આ પ્રમાણે લોહી આવતું રહયું હોય, પરંતુ જો આથી પહેલાં ૧૦ દિવસોથી ઓછી મુદ્દત હૈઝ આવવાની આદત હતી ત્યાર પછી આ રીતે વધુ લોહી આવવાનું શરૂ થયું છે તો આ સૂરતમાં એક બે ટીપાં આવવાના દિવસથી એટલા દિવસો હૈઝના ગણાશે જેટલા દિવસો આવી હાલત શરૂ થતાં પહેલાં હૈઝ આવવાના દિવસો હતા અને તેથી વધારાના દિવસો બીમારીના ગણાશે. (શામી, ભા.૧)
Log in or Register to save this content for later.