[૧૦પ] મરઘાંને ઝબહ કરી ગરમ પાણીમાં નાખવું

Chapter : તહારત

(Page : 146)

સવાલ :– અહિંયા ફ્રિજમાં રાખેલા મરઘીના હલાલ બચ્ચાઓ લગભગ બધે વેચાય છે, પરંતુ તેમને હલાલ કરવાની પદ્ધતિ નીચે પ્રમાણે છે.

(૧) બચ્ચાઓને પીંજરાઓમાં રાખવામાં આવે છે અને ત્યાં દાણા પાણી આપવામાં આવે છે. બહારનો ખોરાક ખાવા દેવામાં આવતો નથી.

(ર)     તેઓને કતલખાનામાં લઇ જઇ હલાલ કરવામાં આવે છે, પછી ગરમ પાણીમાં નાખવામાં આવે છે, ત્યાર બાદ તેના પીછાં અને અંદરનો નકામો ભાગ કાઢી નાખવામાં આવે છે, શું આ બરાબર છે ? અથવા પ્રથમ અંદરનો નકામો ભાગ કાઢી પછી ગરમ પાણીમાં નાખવામાં આવે ?

                અહિંયા દરેક સ્થળે આ પદ્ધતિ સામાન્ય છે, પરંતુ અહિંયાના યુરોપિયનો આપણી (પદ્ધતિ) રીત પ્રમાણે કરવા તૈયાર હોય છે, જેઓ હલાલ કરે છે તેઓ મુસ્લિમ હોય છે, તો શરઈ પદ્ધતિ લખશો.

જવાબ :– જાનવરને ઝબહ કર્યા પછી પેટની અંદરનો નકામો ભાગ  કાઢયા વિના અને જાનવર પર લાગેલા વહેતા લોહીને ધોયા વિના પીછાં સરળતાથી કાઢવા માટે ગરમ પાણીમાં નાખવામાં ન આવે, કારણ કે જો પાણી ઉકળતું હશે તો નાપાકી ગોશ્તમાં એવી પ્રસરી જશે કે ઈમામે આઝમ ઈમામ અબૂ હનીફહ (રહ.)ના મંતવ્ય મુજબ ગોશ્ત નાપાક થઈ જશે અને કદી પાક નહી થઈ શકે અને નાપાક હોવાથી તે હલાલ નહી રહે.

                હાં, અંદરનો નકામો ભાગ કાઢયા પછી વહેતુ લોહી વિગેરે નાપાકી દૂર કરવા પ્રથમ જાનવરને ધોઈને પાક કરી લેવામાં આવે અને તે પછી પીછાં ઉતારવાની સરળતા માટે ગરમ પાણીમાં નાખવામાં આવે, તો આ બીજી રીત જાઈઝ છે.   (શામી :૧/ રર૩, અલ્‌ બહ્‌રુર્રાઈક :૧/ ર૩૯)

Log in or Register to save this content for later.