Chapter : તહારત
(Page : 129)
સવાલ :– અમારા ભાઈને પેશાબની બિમારી છે, તે વુઝૂ કરવા માટે પાણીમાં હાથ નાંખે ત્યારે પેશાબના કતરા પડી જાય છે અને ઘણી દવા કરવાથી પણ કોઈ ફાયદો નથી, તો તે નમાઝ પઢવા માટે તયમ્મુમ કરી શકે કે નહિ ? અગર ન કરી શકે તો બીજો કોઈ રસ્તો બતાવશો, પાણીમાં હાથ નાંખતાં જ કતરા પડી જાય છે. ( અ. વાહિદ અ. ગની, જુનાગઢ)
જવાબ :– મજકૂર માણસને જો પાણીમાં હાથ નાંખવાથી પેશાબના ટીપાં પડવાનું શરૂ થયા પછી જ્યાં સુધી પાણીનો ઉપયોગ કરે ત્યાં સુધી ટીપાં પડવાનું ચાલું રહેતું હોય, ટીપાં પડવાનું શરૂ થયા પછી વુઝૂથી ફારિગ થતાં સુધી ટીપાં પડવાનું બંધ ન થતું હોય તો તે માણસ વુઝૂની જગ્યાએ તયમ્મુમ કરીને નમાઝ પઢી શકે છે, એવા મઅઝૂર માણસ માટે નમાઝ માટે વુઝૂ કરવું જરૂરી નથી. (ઉમ. ફિકહ ભા. ૧/રર૬)
Log in or Register to save this content for later.