Chapter : નમાઝ
(Page : 389)
સવાલ :– એક મસ્જિદમાં સફની ચટાઈ ઉપર ચાંદ અને તારાઓની છબી છે અને તારાઓની છબી સજદહ કરવાની જગ્યા ઉપર છે, અમુક લોકોનું કહેવું છે કે ચાંદ, તારા અલ્લાહ તઆલાની મખલૂક છે અને મખલૂકને સજદહ કરવો જાઈઝ નથી, તો આ બાબતનો ખુલાસો કરશો.
જવાબ :– નમાઝીની સામે એવી કોઈ વસ્તુનું હોવું જેનાથી ગૈરુલ્લાહની ઈબાદત સાથે મુશાબહત થાય, એ મકરૂહ છે. અને ચાંદ–તારાઓની ઈબાદત કરતા લોકો હકીકી ચાંદ–તારાઓની પૂજા કરે છે. તેની છબીની પૂજા નથી કરતા. માટે આવી છબીઓવાળી ચટાઈ પર નમાઝ પઢવામાં ગેરુલ્લાહની પૂજાથી મુશાબહતની દષ્ટિએ તો કોઈ કરાહત નથી. પરંતુ નમાઝીની સામે કોઈ પણ એવી તસવીર અને છબીનું હોવું મકરૂહ છે, જેનાથી નમાઝીના ધ્યાનમાં ખલલ પડે અને આવી છબીથી નમાઝીના ધ્યાનમાં ખલલ પડે છે, માટે નમાઝની ચટાઈ ઉપર આવી છબી ન હોવી જોઈએ. (‘શામી ૧/૪૩૬)
Log in or Register to save this content for later.