Chapter : નમાઝ
(Page : 376)
સવાલ :– દરેક ફર્ઝ નમાઝ પછી (એટલે કે સલામ ફેરવ્યા પછી) સૌ પ્રથમ દુરૂદ શરીફ પઢવું કેવું છે અને સૌ પ્રથમ દુરૂદ શરીફ પઢી શકાય કે નહિ ?
જવાબ :– ફુકહાએ કિરામ નમાઝ પછી ત્રણ વાર ઈસ્તિગફાર, આયતુલ કુર્સી, ત્રણ કુલ, સુબ્હાનલ્લાહ, અલ્હમ્દુ લિલ્લાહ, અલ્લાહુ અકબર ૩૩–૩૩ વાર અને લા ઈલા–હનો કલિમહ સો વાર પઢવાને અને દુઆ કરવાને મુસ્તહબ લખે છે. નમાઝ બાદ દુઆ કરવી કબૂલિય્યતની ઘડીઓમાંથી છે અને દુઆની શરૂઆત, દરમ્યાન અને અંતમાં દુરૂદ શરીફ પઢવું મુસ્તહબ છે. ખુલાસો એ છે કે નમાઝ બાદ દુરૂદ શરીફ પઢવું ઝરૂરી તો નથી, પરંતુ જો નમાઝ બાદ દુઆ કરવામાં આવે તો દુઆના આદાબની રિઆયત કરી પ્રથમ દુરૂદ શરીફ પઢવું મુસ્તહબ છે. (શામી, ભાગ–૧/૩૪૮–૩પ૬)
Log in or Register to save this content for later.