Chapter : નમાઝ
(Page : 373-374)
સવાલ :– ઝોહર, મગરિબ અને ઈશાની ફર્ઝ નમાઝ પછી ઈમામ સા. જે મુખ્તસર દુઆ (અલ્લાહુમ્મ અન્તસ્સલામ) પઢે છે તે પહેલાં દુરૂદ શરીફ પઢવું અફઝલ છે કે નહી ?
હઝ. અબ્દુલ્લાહ બિન બુસ્ર (રદિ.)સે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)કા ઈર્શાદ નકલ કિયા ગયા હૈ કે દુઆએં સારી કી સારી રૂકી રેહતી હેં, યહાં તક કે ઉસકી ઈબ્તિદા અલ્લાહ તઆલાકી તઅ્રીફ ઔર હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદસે ન હો, અગર ઉન દોનોંકે બાદ દુઆ કરેગા તો ઉસકી દુઆ કબૂલ કી જાએગી.
હઝ. અલી (રદિ.) હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)કા યે ઈરશાદ નકલ કરતે હૈં કે કોઈ દુઆ ઐસી નહીં જિસકે ઔર અલ્લાહકે દરમ્યાન પરદા ન હો, યહાં તક કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ ભેજે. પસ, જબ વો દુરૂદ ભેજતા હૈ તો પરદા ફટ જાતા હૈ ઔર વો દુઆ કબૂલિયતકી જગહ પહોંચ જાતી હય, વરના લોટા દી જાતી હૈ.
આ હદીસો જેમાં ‘‘દુઆએં સારી કી સારી રૂકી રહતી હેં કોઈ દુઆ ઐસી નહીંના અલ્ફાઝ જોતાં ઝોહર, મગરિબ, ઈશાની ફર્ઝ નમાઝ પછી તરત ઈમામ સા. જે મુખ્તસર દુઆ પઢે છે તેને આ હદીસો લાગુ પડે છે કે કેમ ? દુરૂદ શરીફ પઢવું ઝરૂરી છે કે કેમ ?
જવાબ :– ઝોહર, મગરિબ અને ઈશા પછીની મુખ્તસર દુઆમાં પણ દુરૂદ શરીફ પઢવું મુસ્તહબ છે, ઝરૂરી નથી અને જો ફર્ઝની સલામ પછીની દુઆમાં દુરૂદ શરીફ ન પઢવામાં આવે તો પણ એ વાતનો અવકાશ છે કે તે દુઆને દુરૂદ શરીફથી ખાલી ન સમજવામાં આવે, કારણ કે એ જ બેઠકમાં કઅ્દએ અખીરહની દુઆ પહેલાં દુરૂદ શરીફ પઢવામાં આવે છે અને સલામ પછીની દુઆ પણ નમાઝ સાથે જ સંબંધ ધરાવે છે. (શામી, ભાગ–૧/૩૪૮)
Log in or Register to save this content for later.