[ર૬૮ ] ફર્ઝ નમાઝ પછી ચોથા કલિમહની ફઝીલત

Chapter : નમાઝ

(Page : 366-367)

સવાલ :– સાહિબે ઈલ્મથી એમ સાંભળવામાં આવ્યું છે કે ફર્ઝ નમાઝોમાં જે ભૂલભાલ અને ફર્ઝ, વાજિબ સિવાયની કોઈ ભૂલ થઈ જાય તો નમાઝ પછી ચોથો કલિમહ ૩ વાર પઢી લેવાથી તેની તલાફી થઈ જાય છે. (ટૂંકમાં નમાઝ કબૂલ થાય છે) માટે આ બાબત ખરેખર શું હકીકત  છે ? અને આ વાત હદીસથી સાબિત છે કે કેમ ?

જવાબ :– ચોથો કલિમહ ત્રણ વાર નમાઝ બાદ પઢવાની મજકૂર ફઝીલત વિશે કોઈ હદીસ નજરથી ગુજરી નથી. બાકી ચોથા કલિમહમાં આવેલ તસ્બીહ હમ્દે બારી તઆલા, તકબીર અને બુઝુર્ગીના વાક્યો પઢવાની બીજી ફઝીલતો સાબિત છે, જેમ કે અબૂ દાઉદ શરીફની રિવાયતથી સાબિત છે કે જો દરેક નમાઝ બાદ તેત્રીસ વાર સુબ્હાનલ્લાહ, તેત્રીસ વાર અલ્હમ્દુ લિલ્લાહ અને ચોત્રીસ વાર અલ્લાહુ અકબર પઢવામાં આવે અને અંતમાં ”લા ઈલા–હ ઈલ્લલ્લાહુ વહ્‌દહૂ લા શરીક લહૂ લહુલ્‌ મુલ્કુ વલહુલ્‌ હમ્દુ વહુવ અલા કુલ્લિ શય્‌ઈન્‌ કદીર” પઢવામાં આવે તો ગુનાહો માફ થઈ જશે, ચાહે તે દરિયાના કાંપની બરાબર હોય.     (હયાતુસ્સહાબા : ૩/૩૧૦,    અરબી   )

               અને હદીસ શરીફથી એ પણ સાબિત છે કે અગર ફર્ઝમાં કોઈ કોતાહી (કમી) રહી ગઈ હશે તો જે તે પ્રકારના નફલથી તે કોતાહીની તલાફી થઈ જશે.                  (તહતાવી અલલ મરાકી : ર૧ર)

Log in or Register to save this content for later.