[ર૬૬ ] અસર, જુમ્અહ પછી દુઆના અંતમાં આયતે દુરૂદ પઢવી

Chapter : નમાઝ

(Page : 362-363-364-365-366)

સવાલ :– અસર, ફજર તથા જુમ્અહ તથા બન્નેવ ઈદો વખતે દુઆ ખતમ કરતી વખતે ઈન્નલ્લાહ વ મલાઈકતહુ યુસલ્લૂ–ન અલન્નબિય્ય આ આયત પઢાવીને દુરૂદ શરીફ પઢાવવું ઝરૂરી છે ? તે જણાવશો. નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમજ સહાબાથી સાબિત છે ?

જવાબ :– મજકૂર નમાઝો પછી દુઆ કરવી અને ઈમામે કરાવવી મુસ્તહબ છે, વાજિબ કે ફર્ઝ નથી. ઈમામને એ પણ ઈખ્તિયાર છે કે નમાઝ બાદ દુઆ માટે ન બેસે, બલ્કે પોતાની જરૂરત માટે રવાના થઈ જાય, કારણ કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે,

فَإِذَا قُضِیَتِ الصَّلَاۃُ فَانتَشِرُوا فِیْ الْأَرْضِ وَابْتَغُوْا مِن فَضْلِ اللّٰہِ }الجمعۃ : ۱۰{

               અલ્લાહ તઆલા ફરમાવે છે કે જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો જમીનના ભાગોમાં ફેલાય જાઓ અને અલ્લાહ તઆલાની રોઝી તલબ કરો, અને આ હુકમ (નમાઝ બાદ તરત દુઆ વગર ચાલ્યા જવાને) જાઈઝ હોવું બતલાવવા માટે છે અને ચાહે આ આયત જુમ્અહ વિશે છે પણ બીજી નમાઝો માટે પણ આ હુકમ લાગુ પાડી શકાય છે.

(શર્હે નુરૂલ ઈઝાહ : ૧૭૧, કબીરી : ૩૪૧)

               અને અલ્લામહ શુરૂંબુલાલી (રહ.) શર્હે નુરૂલ ઈઝાહમાં આગળ પેજ નં. ૧૭૩ પર લખે છે કે દુઆ ખતમ કરતી વખતે આ આયત  પઢવામાં આવે.

سُبْحَانَ رَبِّکَ رَبِّ الْعِزَّۃِ عَمَّا یَصِفُونَ ۔ وَسَلَامٌ عَلَی الْمُرْسَلِیْنَ ۔ وَالْحَمْدُ لِلّٰہِ رَبِّ الْعَالَمِیْنَ  [الصّٰفّٰت[

               કારણ કે હઝ. અલી (રદિ.) ફરમાવે છે કે જે માણસ જે વસ્તુને પસંદ કરતો હોય કે કયામતના દિવસે મોટા માપથી એનો સવાબ તોલવામાં આવે તો જોઈએ કે તે પોતાની વાતના છેવટમાં મજલિસથી ઉઠતાં આ આયત પઢે.

               પોતાની જરૂરતો માટે દુઆ કરતાં પહેલાં અલ્લાહ તઆલાની હમ્દ–સના પઢવામાં આવે અને ત્યાર બાદ દુરૂદ શરીફ પઢવામાં આવે એ દુઆના આદાબમાંથી છે.

               ફુઝાલહ બિન ઉબૈદ (રદિ.)થી હદીસ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ એક વખતે એક માણસને નમાઝમાં દુઆ કરતો સાંભળ્યો કે તેણે દુરૂદ પઢયું નથી તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે આ માણસે જલ્દી કરી છે, પછી તેને બોલાવ્યો અને તેની સાથે સાથે બીજાઓને પણ કહયું કે જ્યારે તમારામાંથી કોઈ દુઆ કરે તો પહેલાં અલ્લાહ તઆલાની હમ્દો–સના પઢે પછી દુરૂદ શરીફ પઢી જે ચાહે તેની દુઆ કરે.

(અબૂ દાઉદ, નસાઈ, તિરમિઝી વગેરેથી તફસીરે મઝહરી, ભાગ–૭/૩૭૬)

               એવી જ રીતે હઝરત ઉમર (રદિ.)થી નકલ છે કે જ્યાં સુધી દુરૂદ શરીફ પઢવામાં ન આવે ત્યાં સુધી દુઆ આસ્માન અને જમીનની વચ્ચે લટકતી રહે છે. (તિરમિઝીથી મઝહરી ૩૭૯, ભાગ–૭) એટલે કે કબૂલ થતી નથી.

               અલ્લામહ શામી (રહ.) દલાઈલુલ્‌ ખયરાત નામી કિતાબથી નકલ કરે છે કે અબૂ સુલયમાન દારમી (રહ.)એ ફરમાવ્યું છે કે જે  માણસ અલ્લાહ તઆલાથી પોતાની કોઈ જરૂરત માટે દુઆ કરવા ચાહતો હોય તો એવો માણસ કસરતથી દુરૂદ શરીફ પઢે પછી પોતાની જરૂરતની દુઆ કરે અને દુઆને દુરૂદ શરીફથી ખતમ કરે.         (શામી : ૧/૩૪૯)

               આ બધી તફસીલથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દુઆ કરવી ઝરૂરી નથી અને દુઆની શરૂઆત અને આખિરમાં દુરૂદ શરીફ પઢવામાં આવે, બાકી સવાલમાં લખેલી આયતનું પઢવું એ તો કોઈ કિતાબમાં જોવામાં આવ્યું નથી, પછી એનું પઢવું દુઆના મુસ્તહબ હોવા છતાં ઝરૂરી કેવી રીતે સાબિત થયું. નમાઝ બાદની હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દુઆઓમાં પણ આ આયતનું પઢવું સાબિત નથી માટે એને ઝરૂરી સમજવું એ બિદઅત છે અને એ વાત પણ રોશન છે કે દુરૂદ શરીફ પઢવામાં આ આયત પઢવાને કોઈ દખલ નથી. આ આયત પઢયા વગર પણ દુરૂદ શરીફ તો અદા થઈ જાય છે, કારણ કે મજકૂર આયત દુરૂદ શરીફનો કોઈ ભાગ નથી. ખુદ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી દુરૂદ શરીફ પઢવાના તરીકા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેના જવાબમાં આપે એમ નથી, ફરમાવ્યું કે આ આયત પઢવામાં આવે, પછી દુરૂદ શરીફ પઢવામાં આવે.

               સહીહ બુખારી શરીફ અને મુસ્લિમ શરીફ વગેરે હદીસની બધી કિતાબોમાં આ પ્રમાણે હદીસ મવજૂદ છે કે હઝરત કઅબ બિન ઉજરહ (રદિ.)એ ફરમાવ્યું કે (જ્યારે આ આયત ઈન્નલ્લાહ….નાઝિલ થઈ તો) એક માણસે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સવાલ કર્યો કે (આયતમાં અમોને બે વાતોનો હુકમ છે. દુરૂદ અને સલામ, સલામનો તરીકો તો અમોને માલૂમ થઈ ચૂક્યો છે કે,

اَلسَّلاَمُ عَلَیْکَ أَیُّھَا النَّبِیُّ

કહીએ છીએ. સલામનો તરીકો પણ બતલાવી આપો તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે આ શબ્દો કહયા કરો :     (મઆરિફુલ કુર્આન : રર૩/૭)

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وعَلٰی أٰلِِ مُحَمَّدٍ کَمَا صَلَّیْتَ عَلٰی إِبْرَاھِیْمَ وَ عَلیٰ اٰلِ إِبْرَاھِیْمَ  إِنَّکَ حَمِیْدٌ مَّجِیْدٌ-اَللّٰھُمَّ بَارِکْ عَلٰی مُحَمَّدٍ وعَلٰی أٰلِِ مُحَمَّدٍ کَمَا بَارَکْت عَلٰی إِبْرَاھِیْمَ وَعَلیٰ اٰلِ إِبْرَاھِیْمَ إِنَّکَ حَمِیْدٌ مَّجِیْد

                              અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ દરેક હાલત માટે આ તરીકો બતલાવ્યો છે. માટે દરેક હાલતમાં આ મુજબ દુરૂદ શરીફ પઢવામાં આવશે. આયત પઢવી ઝરૂરી નથી. હાં, લોકોને દુઆમાં દુરૂદ શરીફનો હુકમ યાદ અપાવવા આ આયત પઢી હુકમ સંભળાવવામાં આવે અને ઝરૂરી સમજ્યા વગર પઢવામાં આવે તો પઢવી જાઈઝ છે, પરંતુ હુકમ સંભળાવવાનો તકાઝો એ છે કે દુઆમાં હમ્દો–સના બાદ પઢવામાં આવે, કારણ કે દુઆની શરૂમાં પણ દુરૂદ શરીફ પઢવું જોઈએ, જેમ કે ઉપરની વિગતથી માલૂમ થઈ ચૂક્યું છે, ફકત દુઆ પૂરી કરતી વખતે કેમ પઢવામાં આવે છે ? અને આયત અને દુરૂદ શરીફ એટલા જોરથી પણ પઢવું મકરૂહ છે કે નમાઝીઓની નમાઝમાં ખલલ આવે અને તેઓને તકલીફ થાય. દુર્રે મુખ્તારમાં છે કે દુરૂદ શરીફ પણ એક દુઆ જ છે અને દુઆ આહિસ્તા માંગવી જોઈએ.

(દુર્રે મુખ્તાર: ૧/૩૪૯ શામી : ૧/૪૪૪)

Log in or Register to save this content for later.