[ર૬૪ ] દુઆએ ગંજુલ્‌ અર્શ

Chapter : નમાઝ

(Page : 341-342)

સવાલ :– દુઆએ ગંજુલ્‌ અર્શ કયા બુઝુર્ગ સાહેબે લખી છે. સામાન્ય રીતે છપાતી દીની અને દુઆની કિતાબોમાં મજકૂર દુઆની ઘણી ફઝીલતો લખવામાં આવી છે શું તે ફઝીલતો ખરી છે ? દેખીતી રીતે દુઆએ ગંજુલ્‌ અર્શમાં પહેલો કલિમો અને અલ્લાહ તઆલાના સિફાતી નામો જોવામાં આવે છે, મજકૂર દુઆ પઢવી કેવું છે ? તેની ફઝીલત શું છે ? શું તે કુર્આન–હદીસથી સાબિત છે ?

જવાબ :– ‘દુઆએ ગંજુલ્‌ અર્શ પ્રત્યક્ષ રીતે અહકરના અભ્યાસમાં આવી નથી, તેના લેખક કોણ છે તેની પણ જાણ નથી, પરંતુ અન્ય કિતાબોના અભ્યાસથી માલૂમ પડે છે કે મજકૂર દુઆ કોઈ સહીહ હદીસથી સાબિત નથી અને તેની બયાન કરવામાં આવતી ફઝીલતો બેબુનિયાદ છે અને તેની કોઈ સહીહ અસલ નથી. અલબત્ત, મજકૂર દુઆના મઝમૂનમાં કોઈ ખરાબી નથી માટે તેનું પઢવું જાઈઝ છે. હઝરત મૌલાના હકીમુલ ઉમ્મત (રહ.) દુઆએ ગંજુલ્‌ અર્શ અને તેના જેવી અન્ય દુઆની કિતાબો વિષે લખે છે કે,

“દુઆએં તો અચ્છી હેં, મગર ઉનમેં જો સનદેં લિખ્ખી હેં ઔર ઉનમેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)કે નામસે બળે લમ્બે–ચોળે સવાબ લિખ્ખે હેં વો બિલકુલ ઘડી હૂઈ બાતેં હેં.                  (‘બેહિશ્તી ઝેવર ૧૦/પર)

               ગંજુલ્‌ અર્શ વિશે ઉપરોકત વિગત જોતાં માલૂમ પડે છે કે તેના બદલે કુર્આન શરીફની તિલાવત કરવી, કસરતથી દુરૂદ શરીફ પઢવું, ઈસ્તિગફાર કરવો અને મસનૂન દુઆઓ તથા વઝાઈફ પઢવા વધુ બેહતર અને અફઝલ છે.       (‘ફતાવા મહમૂદિય્યહ પ/૩૪૭)

Log in or Register to save this content for later.