[ર૬પ ] નમાઝ બાદ દુઆ

Chapter : નમાઝ

(Page : 342-343-344-345-346-347-348-349-350-351-352-353-354-355-356-357-358-359-360-361-362)

સવાલ :– ફર્ઝ નમાઝ બાદ દુઆ કરવી શું શરીઅતમાં મના છે ? અને બિદઅત છે અને બિદઅત હોય તો તે બિદઅતે હસનહ છે અથવા બિદઅતે સય્યિઅહ છે ?

જવાબ :– ફર્ઝ નમાઝો પછી દુઆ કરવી મસનૂન છે અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કથન અને અમલથી અને હઝરાતે મુહદ્દિસીન અને ફુકહાએ કિરામ (રહ.)ના મંતવ્યોથી સાબિત છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)અનેક સહાબએ કિરામ (રદિ.)ને ફર્ઝ નમાઝ પછી ખાસ ખાસ દુઆઓ પઢવા ફરમાવ્યું છે અને તેની ફઝીલત પણ બયાન ફરમાવી છે.

               સુનને અબૂ દાવૂદ અને નસાઈ શરીફમાં હદીસ છે કે હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) કહે છે કે,

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓનો હાથ પકડયો અને ફરમાવ્યું કે,

“હે મુઆઝ ! મને તમારાથી મુહબ્બત છે. હું તમોને વસિય્યત કરું છું કે તમો દરેક નમાઝ પછી આ દુઆ પઢવાનું ન છોડશો :–

اَللّٰہُمَّ اَعِنِّیْ عَلٰی ذِکْرِکَ وَشُکْرِکَ وَحُسْنِ عِبَادَتِک

“અલ્લાહુમ્મ અઈન્ની અલા ઝિક્નિક વ શુક્નિક વ હુસ્નિ ઈબાદતિક.

[એ અલ્લાહ! મારી મદદ ફરમાવો આપની યાદ કરવા પર અને આપનો શુક્ન અદા કરવા પર અને સારી અને સંપૂર્ણ રીતે ઈબાદત કરવા પર. ]

(‘અલ અઝકાર લિન્નવવી રહ. ૬૯, ‘અમલુલ યવ્મિ

વલ્લય્લહ લિઈબ્નિસ્‌ સુન્ની રહ.)

               ‘સુનને અબૂ દાવૂદ, ‘તિરમિઝી, ‘નસાઈ શરીફ વગેરે હદીસની કિતાબોમાં હદીસ છે કે,

હઝરત ઉક્‌બહ બિન આમિર (રદિ.)એ કહ્યું કે,‘‘મને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ દર નમાઝ પછી મુઅવ્વિઝ સૂરતો (‘કુલ હુવલ્લાહુ અહદ, ‘કુલ અઊઝુ બિરબ્બિલ્‌ ફલક અને ‘કુલ અઊઝુ બિરબ્બિન્નાસ) પઢવાનો હુકમ આપ્યો.                              (‘અઝકાર ૬૯, ‘અમલ ૩૪)

હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) કહે છે કે, અમો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં હાજર હતા, તેવામાં એકાએક એક ઘરડા માણસ આવ્યા જેમનું નામ કબીસહ હતું, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓને ફરમાવ્યું કે,

“આવી હાલતમાં કે જયારે તમો વયોવૃદ્ધ થઈ ગયા છો અને તમારા હાડકાં પાતળાં થઈ ગયા છે, કઈ જરૂરત તમોને અહિંયા લઈ આવી છે.

તો તેઓએ અરજ કરી કે,

“યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! ખરેખર, મારી ઉંમર ઘણી થઈ ગઈ છે અને મારા હાડકાં પાતળાં થઈ ગયા છે અને મારી શકિત ઘટી ગઈ છે અને મવત નઝદીક આવી ગઈ છે.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

“તમારી આ વાત મને ફરી કહો.

તેઓએ ફરીવાર પોતાના વાકયો દોહરાવ્યા.

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

“તમારી આ વાતથી તમારા હાલ પર રહમ ખાયને તમારી આસપાસનું દરેક જ ઝાડ અને પથ્થર તથા ઢેલું રડી રહ્યું છે, તમો તમારી જરૂરત રજૂ કરો, તમારો હક સાબિત થઈ ચૂકયો છે.

તો કબીસહ (રદિ.)એ કહ્યું કે,

“યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! મને કોઈ એવી દુઆ શીખવાડો કે જેનાથી અલ્લાહ તઆલા મને દુનિયા અને આખિરતમાં લાભ પહોંચાડે અને આપ મને વધુ લાંબી વસ્તુ ન શીખવશો, કારણકે હું એક ભુલકણો ડોસો છું.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

“તમો તમારી દુન્યવી ભલાઈ પ્રાપ્ત કરવા માટે જયારે ફજરની નમાઝ પઢી લો તો ત્રણ વાર આ દુઆ પઢો :–

سُبْحَانَ اللّٰہِ العظیم وَبِحَمْدِہٖ لَا حَوْلَ وَ لَاقُوَّۃَ  اِلَّابِاللّٰہ

‘સુબ્હાનલ્લાહિલ્‌ અઝીમિ વ બિહમ્દિહિ, વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ

[હું અઝમતવાળા મહાન અલ્લાહ તઆલાની (તમામ અજુગતી વાતોથી) પાકી બયાન કરું છું અને સાથે તેમની હમ્દ કરું છું અને ગુનાહોથી બચવાની શકિત અને નેકીઓ કરવાની તાકાત માત્ર અલ્લાહ તઆલા તરફથી જ છે.]

               અલ્લાહ તઆલા તમોને ચાર બલાઓથી મહફૂઝ રાખશે, એટલે કે રકતપિત્ત, ગાંડપણ, અંધાપો અને લકવાથી સુરક્ષિત રાખશે અને પોતાની આખિરતની ભલાઈ હાસિલ કરવા માટે આ દુઆ પઢોઃ–

اَللّٰہُمَّ اہْدِنِیْ مِنْ عِنْدِکَ وَاَفِضْ عَلَیَّ مِنْ فَضْلِکَo وَانْشُرْ عَلَیَّ مِنْ رَحْمَتِکَ، وَاَنْزِلْ عَلَیَّ مِنْ بَرَکَاتِک

અલ્લાહુમ્મહ્‌દિની મિન્‌ ઈન્‌દિક વઅફિઝ્‌ અલય્ય  મિન્‌ ફઝ્‌લિક, વન્‌શુર્‌ અલય્ય મિન્‌ રહમતિક, વ અન્‌ઝિલ્‌ અલય્ય મિમ્બરકાતિક.

 [એ અલ્લાહ! મને આપની પાસેથી હિદાયત અતા ફરમાવો અને આપનો ફઝલ મારા ઉપર વરસાવો અને આપની રહમત મારા ઉપર ફેલાવી દો અને આપની બરકતો મારા ઉપર ઉતારો.]

               આવનાર વૃદ્ધે દુઆના આ કલિમાત કહ્યા અને હાથની ચાર આંગળીઓ વાળીને ગણત્રી કરી.

               હઝરત અબૂબક્ન અને હઝરત ઉમર (રદિ.)એ કહ્યું કે,

“યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! આપના આ મામાએ તો ઘણી સખતીથી આંગળીઓ વાળીને ગણત્રી કરી છે.

               તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

“તે પાક જાતની કસમ જેના કબજામાં મારી જાન છે, જો તેઓ (દુઆના) આ કલિમાત પઢવાની પાબંદી કરશે અને તેને પઢવાનું છોડશે નહિં તો તેઓના માટે કિયામતના દિવસે જન્નતના ચાર દરવાજા ખોલવામાં આવશે, તેઓ જે દરવાજેથી દાખલ થવા ચાહશે, દાખલ થશે.                  (‘અમલ ૩૬)

સુનને અબૂ દાવુદ શરીફની હદીસમાં છે કે,

હઝરત મુસ્લિમ બિન હારિસ તમીમી સહાબી (રદિ.) કહે છે કે,

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓથી ચૂપકીદીથી ફરમાવ્યું કે,

“જ્યારે તમો મગરિબની નમાઝ પઢીને ફારિગ થાઓ તો સાત વાર આ દુઆ પઢી લો :–

اَللّٰہُمَّ اَجِرْنِیْ مِنَ النَّار

‘અલ્લાહુમ્મ અજિર્‌ની મિનન્નાર

[ એ અલ્લાહ ! દોઝખથી મારી હિફાઝત ફરમાવો. ]

               જો તમે આ દુઆ પઢીને તે જ રાતે વફાત પામશો તો તમારા માટે જહન્નમથી પનાહ (નજાત) લખી દેવામાં આવશે અને જયારે તમો ફજરની નમાઝ પઢી લો તો આ જ પ્રમાણે મજકૂર દુઆ સાત વાર પઢી લો. જો તમો તે જ દિવસે વફાત પામશો તો તમારા માટે જહન્નમથી પનાહ લખી દેવામાં આવશે. (‘અઝકાર ૭૦, ‘અમલ ૩૯)

  હઝરત મુઆઝ (રદિ.) બયાન કરે છે કે,

મેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ફરમાવતા સાંભળ્યા  છે કે,

“જેણે ફજરની નમાઝ પછી ત્રણ વાર અને અસરની નમાઝ પછી ત્રણ વાર આ દુઆ પઢી :–

اَسْتَغْفِرُ اللّٰہَ الَّذِیْ لَآ اِلٰـہَ اِلَّا ہُوَ الْحْیُّ الْقَیُّوْمُ وَ اَتُوْبُ اِلَیْہ

“અસ્તગ્‌ફિરુલ્લાહલ્લઝી લા ઈલા–હ ઈલ્લા  હુવલ્‌ હય્યુલ્‌ કય્યૂમુ વ અતૂબુ ઈલય્‌હ.

               [ હું માફી માંગું છું અલ્લાહ તઆલાથી જેના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી, જે હંમેશા જીવંત રહેવાવાળો અને સઘળી મખલૂકને સંભાળનાર છે અને હું તેમની બારગાહમાં તૌબા કરું છું. ]

               તો તેના ગુનાહો માફ થઈ જશે, ચાહે દરિયાના કાંપ બરાબર હોય.           (‘અમલ ૩પ)

               હઝરત બરાઅ બિન આઝિબ (રદિ.)ની હદીસમાં દર નમાઝ પછી મજકૂર દુઆ ત્રણ વાર પઢવાનું અને તેને પઢવાથી જિહાદના મેદાનથી ફરાર થવા જેવા કબીરહ ગુનાહથી માફીનું વર્ણન છે.  (‘અમલ ૩૮)

               હઝરત અનસ બિન માલિક (રદિ.) હઝરત નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી નકલ કરે છે કે,

“જે કોઈ બંદો દરેક નમાઝ પછી પોતાના બંને હાથ ફેલાવે અને પછી આ દુઆ કરે :–

اَللّٰہُمَّ اِلٰہِیْ وَاِلٰہَ اِبْرَاہِیْمَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَاِلٰہَ جِبْرَئِیْلَ وَمِیْکَائِیْلَ وَاِسْرَافِیْلَ (عَلَیْہِمُ السَّلَامِ) اَسْئَلُکَ اَنْ تَسْتَجِیْبَ دَعْوَتِیْ فَإِنِّی مُضْطَرٌّ، وَّتَعْصِمَنِیْ فِیْ دِیْنِیْ فَاِنِّیْ مُبْتَلیً، وَّتَنَالَنِیْ بِرَحْمَتِکَ فَاِنِّیْ مُذْنِبٌ وَّتَنْفِیَ عَنِّی الفَقْرَ فَاِنِّیْ مُتَمَسْکِنٌ

‘અલ્લાહુમ્મ ઈલાહી વ ઈલા–હ ઈબ્રાહીમ વ ઈસ્હાક વ યઅકૂબ વ ઈલા–હ જિબ્રઈલ વ મીકાઈલ વ ઈસ્રાફીલ (અલયહિમુસ્સલામુ) અસ્અલુક અન્‌ તસ્તજીબ દઅ્‌વતી ફઈન્ની મુઝતર્રુન્‌ વ તઅ્‌સિમની ફી દીની ફઈન્ની મુબ્તલન્‌, વ તનાલની બિરહ્‌મતિક ફઈન્ની મુઝ્‌નિબુન, વ તન્ફિય અન્નીલ ફક્ર ફઈન્ની મુતમસ્કિનુન.

[ એ અલ્લાહ ! એ મારા અને હઝરત ઈબ્રાહીમ, હઝરત ઈસ્હાક અને હઝરત યાકૂબ (અલયહિમુસ્સલામ)ના મઅ્‌બૂદ અને હઝરત જિબ્રઈલ, મીકાઈલ અને ઈસ્‌રાઈલ (અલયહિમુસ્સલામ)ના મઅ્‌બૂદ હું આપનાથી સવાલ કરું છું કે આપ મારી દુઆ કબૂલ ફરમાવી લો. કારણકે હું મજબૂર છું અને મારા દીન બાબત મારી હિફાઝત ફરમાવો, કારણકે હું મુસીબતમાં સપડાયેલો છું અને મને પોતાની રહમત અતા કરો, કારણકે હું ગુનાહગાર છું અને મારી મોહતાજીને દૂર ફરમાવી દો કારણકે હું નાદાર છું. ]

               તો અલ્લાહ અઝ્‌ઝ વ જલ્લ પોતાના ઝિમ્મે લઈ લે છે કે તેના હાથોને ખાલી વાપસ ન ફરમાવે.(‘અમલ ૩૯)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નમાઝ પછી દુઆ :

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો અમલ અને તરીકો પણ નમાઝ પછી દુઆ માંગવાનો હતો, માટે અત્રે દુઆ વિશે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કેટલીક અમલી હદીસો નકલ કરવામાં આવે છે.

               સહીહ બુખારી શરીફની હદીસમાં છે કે,

               હઝરત સઅદ (રદિ.) પોતાની અવલાદને દુઆના આ કલિમાત એવી રીતે શીખવાડતા હતા જેવી રીતે મુઅલ્લિમ બાળકોને લખતાં શીખવાડે છે અને કહેતા હતા કે,

“હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નમાઝ પછી આ કલિમાત પઢી (અનેક ખરાબીઓથી) અલ્લાહની પનાહ માંગતા હતા :–

اللّٰہُمَّ اِنِّیْ اَعُوْذُبِکَ مِنَ الجُبْنِ، وَاَعُوْذُبِکَ مِنْ اَنْ اُرَدَّ إلی اَرْذَلالعُمُرِ،  وَاَعُوْذُبِکَ مِنْ فِتْنَۃِ الدُّنْیا وَاَعُوْذُبِکَ مِنْ عَذَابِ القَبْرِ

અલ્લાહુમ્મ ઈન્ની અઊઝુબિક મિનલ્‌ જુબ્નિ, વ અઊઝુબિક અન્‌ ઉરદ્દ ઈલા અર્ઝલિલ્‌ ઉમુરિ, વ અઊઝુબિક મિન્‌  ફિત્નતિદ્દુન્યા, વ અઊઝુબિક મિન્‌ અઝાબિલ્‌ કબ્ર.

[ એ અલ્લાહ ! ડરપોકતાથી હું આપની પનાહ માંગું છું અને સૌથી બેકાર અને નકામી ઉમર સુધી પહોંચવાથી હું આપની પનાહ માંગું છું અને દુન્યાના ફિત્નાથી હું આપની પનાહ માંગું છું અને કબ્રના અઝાબથી હું આપની પનાહ માંગું છું. ]

(‘બુખારી શરીફ ૧/૩૯૬, ‘અઝકાર ૬૮)

               સુનને અબૂ દાવૂદમાં હઝરત અલી (રદિ.)ની હદીસમાં છે કે,

               હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે સલામ કહી નમાઝથી ફારિગ થતા તો આ દુઆ માંગતા :–

اَللّٰہُمَّ اغْفِرْلِیْ مَاقَدَّمْتُ وَمَآ اَخَّرْتُ وَمَآ اَسْرَرْتُ وَمَا اَعْلَنْتُ وَمَآ اَسْرَفْتُ وَمَآ اَنْتَ اَعْلَمُ بِہٖ مِنِّیْ اَنْتَ المُقَدِّمُ وَاَنْتَ المُؤَخِّرُ لَااَلٰہَ اِلَّآ اَنْتَ ِ

‘અલ્લાહુમ્મગ્‌ફિર્‌લી મા કદ્દમ્તુ, વ મા અખ્ખરતુ, વ મા અસ્રર્‌તુ, વ મા અઅ્‌લન્તુ વ મા અસ્રફ્‌તુ, વ મા અન્ત અઅ્‌લમુ બિહિ મિન્ની, અન્તલ્‌ મુકદ્દિમુ વઅન્તલ્‌ મુઅખ્ખિરુ લા ઈલા–હ ઈલ્લા અન્ત.

[એ અલ્લાહ ! માફ ફરમાવી દો મારા આગલા અને પાછલા ગુનાહોને અને છુપાવીને કરેલા અને જાહેરમાં કરેલા બધા ગુનાહોને અને શરઈ હદથી મારા આગળ વધી જવાને અને એ ગુનાહોને જેને આપ મારા કરતાં વધુ જાણો છો, આપ જ આગળ વધારનારા અને પાછળ કરનારા છો, આપના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી.]     (‘સિઆયહ ર/ર૦)

               “મુસ્નદે અહમદ, ‘સુનને ઈબ્ને માજહ અને ‘શૈખ ઈબ્ને સુન્નીની કિતાબમાં હઝરત ઉમ્મે સલમહ (રદિ.)થી હદીસ મનકૂલ  છે કે,      હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે ફજરની નમાઝ પઢતા તો આ દુઆ માંગતા :–

اَللّٰہُمَّ اِنِّیْ اَسْئَلُکَ رِزْقًا طَیِّبًا وَّعِلْمًا نَّافِعًا وَّ عَمَلًا مُّتَقَبَّلا

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુક  રિઝ્‌કન્‌ તય્યિબા વ ઈલ્મન્નાફિઆ  વ અમલમ્‌ મુતકબ્બલા.

[ એ અલ્લાહ ! હું આપનાથી ફાયદાકારક ઈલ્મ અને મકબૂલ અમલ અને હલાલ રોઝી માંગું છું. ]          (‘અઝકાર ૭૦)

હઝરત મુસ્લિમ બિન અબૂબક્ન કહે છે કે,

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નમાઝ પછી દુઆના આ કલિમાત કહેતા હતા :

اَللّٰہُمَّ اِنِّیْ اَعُوْذُبِکَ مِنَ الکُفْرِوالفَقْرِ و اَعُوْذُبِکَ مِنْ عَذَابِ القَبْرِ

“અલ્લાહુમ્મ ઈન્ની અઊઝુબિક મિનલ્‌ કુફ્રિ વલ્‌ ફક્નિ વ અઊઝુબિક મિન અઝાબિલ્‌ કબ્રિ.

[એ અલ્લાહ ! હું કુફ્ર, મોહતાજી અને કબ્રના અઝાબથી તારી પનાહ માંગું છું.]   (‘અઝકાર ૬૯, ‘અમલ ૩૧)

               મુહદ્દિસ બઝ્‌ઝાર અને તબરાની (રહ.)એ હઝરત અનસ બિન માલિક (રદિ.)થી હદીસ નકલ ફરમાવી છે કે,

હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નમાઝથી ફારિગ થઈને માથા પર જમણો હાથ ફેરવીને આ દુઆ પઢતા હતાઃ–

بِسْمِ اللّٰہِ الَّذِیْ لَآ اِلٰہَ إِلاَّ ہُوَ الرَّحْمٰنُ الرَّحِیْم  اَللّٰہُمَّ اَذْہِبْ عَنِّی الْہَمَّ وَالحُزْنَ۔

“બિસ્મિલ્લાહિલ્લઝી લા ઈલા–હ ઈલ્લા હુવર્રહમાનુર્રહીમ, અલ્લાહુમ્મ અઝ્‌હિબ્‌ અન્નિલ્‌ હમ્મ વલ્‌હુઝ્‌ન.

[ અલ્લાહ તઆલાના નામ પર મેં નમાઝ પૂરી કરી જેના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી જે સૌથી વધુ દયાળુ અને મહેરબાન છે. એ અલ્લાહ ! મારી ફિકર–ચિંતા અને રંજને દૂર ફરમાવી દો. ]     (‘સિઆયહ ર/રપ૯)

    શૈખ ઈબ્નુસ્સુન્ની (રહ.)ની કિતાબમાં આ હદીસની મજકૂર દુઆમાં ‘બિસ્મિલ્લાહિલ્લઝી  લા ઈલાહ ના બદલે શરૂમાં આ શબ્દો  છેઃ–

اَشْھَدُ انْ لاَّ إِلٰہَ إِلاَّ الرَّحْمٰنُ

“અશ્હદુ અલ્લા ઈલા–હ ઈલ્લર્રહમાન.  (‘અમલ ૩૧)

               શૈખ બઝ્‌ઝાર અને અબૂ યઅ્‌લા (રહ.) હઝરત અનસ (રદિ.)થી હદીસ નકલ કરે છે કે,

જયારે પણ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અમોને કોઈ ફર્ઝ નમાઝ પઢાવતા તો નમાઝ પછી પોતાનો ચહેરો મુબારક ફેરવી અમારી તરફ મુતવજ્જહ થતા અને આ દુઆ પઢતા :–

اَللّٰہُمَّ اِنِّیْ اَعُوْذُبِکَ مِنْ کُلِّ عَمَلٍ یُّخْزِیْنِیْ وَاَعُوْذُبِکَ مِنْ کُلِّ صَاحِبٍ یُّؤْذِیْنِیْ وَاَعُوْذُبِکَ مِنْ کُلِّ اَمَلٍ یُّلْہِیْنِیْo وَاَعُوْذُبِکَ مِنْ کُلِّ فَقْرٍ یُّنْسِیْنِیْo وَاَعُوْذُبِکَ مِنْ کُلِّ غِنیً یُّطْغِیْنِیْo

અલ્લાહુમ્મ ઈન્ની અઊઝુબિક મિન્‌ કુલ્લિ અમલિય્યુંખ્‌ઝીની વ અઊઝુબિક મિન્‌ કુલ્લિ સાહિબિય્યુઅ્‌ઝીની, વ  અઊઝુબિક મિન્‌ કુલ્લિ અમલિય્યુંલ્‌હીની, વ અઊઝુબિક મિન્‌ કુલ્લિ ફકરિય્યુંન્‌સીની, વ  અઊઝુબિક મિન્‌ કુલ્લિ ગિનય્યુંત્‌ગીની.

[એ અલ્લાહ ! હું દરેક એવા કામથી આપની પનાહ માંગું છું જે મને બેઈઝઝત કરી દે અને હું દરેક એવા સાથીથી આપની પનાહ માંગું છું જે મને હાનિ પહોંચાડે અને હું દરેક એવી આરઝૂથી આપની પનાહ માંગું છું જે મને ગાફિલ બનાવી દે અને હું દરેક એવી નાદારીથી આપની પનાહ માંગું છું જે મને ભુલાવી દે અને હું દરેક એવી માલદારીથી આપની પનાહ માંગું છું જે મને શરારતખોર બનાવી દે.]    (‘સિઆયહ ર/રપ૯, ‘અમલ ૩૩)

હઝરત અબૂ ઉમામહ (રદિ.)એ કહ્યું કે,

જ્યારે પણ હું કોઈ ફર્ઝ અને નફલ નમાઝ પછી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નઝદીક ગયો તો મેં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને આ દુઆ કરતાં સાંભળ્યા :–

اَللّٰھُمَّ اغْفِرْلِیْ ذُنُوْبِیْ وخَطَایَایَ کُلَّہَا، اَللّٰہُمَّ  انْعَشْنِی وَاجْبُرْنِیْ وَارْفَعْنِیْ وَاہْدِنِیْ لِصَالِحِ الْاَعْمَال وَ الْاَخْلَاقِ اِنَّہُ لاَ یَھْدِی لِصَالحِھَا ولاَ یصْرِفُ سَیِّئَھَا إِلاَّ اَنْتَ۔

‘અલ્લાહુમ્મગ્‌ફિરલી ઝુનૂબી વ ખતાયાય કુલ્લહા, અલ્લાહુમ્મન્‌અશ્ની, વજ્‌બુર્ની, વહ્‌દિની લિસાલિહિલ્‌ આમાલિ વલ્‌ અખ્લાક, ઈન્નહુ લા યહ્‌દી લિસાલિહિહા, વલા યસ્રિકુ સય્યિઅહા ઈલ્લા અન્ત.

[ એ અલ્લાહ ! મારા બધા ગુનાહો અને ખતાઓને માફ ફરમાવી દો,   એ અલ્લાહ ! મને બુલંદી અતા ફરમાવો અને મારી હાલત દુરુસ્ત ફરમાવી દો અને નેક આમાલ અને સારા અખ્લાકની હિદાયત અતા ફરમાવો, બેશક સારા આમાલ અને સારા અખ્લાકની હિદાયત આપના સિવાય કોઈ નથી આપી શકતું અને ખરાબ આમાલ અને ખરાબ અખ્લાકથી આપના સિવાય કોઈ બચાવી નથી શકતું. ]        (‘અઝકાર ૬૯, ‘અમલ ૩ર)

               હઝરત અનસ (રદિ.)થી મનકૂલ છે કે, હું આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વફાત સુધી નમાઝમાં આપના બંને ખભાઓ વચ્ચે આપની પાછળ ઊભો રહેતો હતો તો હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે નમાઝથી ફારિગ થતા તો આ દુઆ માંગતા હતા :–

اَللّٰہُمَّ اجْعَلْ خَیْرَ عُمْرِیْ اٰخِرَہٗ وَخَیْرَ عَمَلِیْ خَوَاتِمَہٗ وَاجْعَلْ خَیْرَ اَیَّامِیْ یَوْمَ اَلْقَاکَ

“અલ્લાહુમ્મજ્‌અલ્‌ ખય્ર ઉમરી આખિરહુ, વ ખય્ર અમલી ખવાતિમહુ, વજ્‌અલ્‌ ખય્ર અય્યામી યવ્‌મ અલ્કાક.

[ એ અલ્લાહ ! મારી છેલ્લી ઉમરને સૌથી શ્રેષ્ઠ ઉમર અને મારા છેલ્લા અમલને સૌથી શ્રેષ્ઠ અમલ અને આપની મુલાકાતના દીવસને સૌથી શ્રેષ્ઠ દીવસ બનાવી આપો. (‘અઝકાર ૬૯, ‘અમલ ૩૩)

હઝરત અબૂ બર્ઝહ અસ્‌લમી (રદિ.) કહે છે કે,

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે ફજરની નમાઝ પઢી લેતા તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સાથીઓ સાંભળે એટલા જોરથી આપ આ દુઆ ત્રણ વાર પઢતા હતા :–

اَللّٰہُمَّ اَصْلِحْ لِیْ دِیْنِیَ الَّذِیْ جَعَلْتَہُ عِصْمَۃَ اَمْرِیْo اَللّٰہُمَّ اَصْلِحْ لِیْ دُنْیَایَ الَّتِیْ جَعَلْتَ فِیْہَا مَعَاشِیْo

‘અલ્લાહુમ્મ અસ્લિહ્‌ લી દીની અલ્લઝી જઅલ્તહુ ઈસ્મત અમ્રી, અલ્લાહુમ્મ અસ્લિહ્‌ લી દુન્યાયલ્લતી જઅલ્ત ફીહા મઆશી

[ એ અલ્લાહ ! મારા દીનની ઈસ્લાહ ફરમાવી દો કે જેને આપે મારા દરેક કામની હિફાઝતનું સાધન બનાવ્યું છે, એ અલ્લાહ ! મારી દુન્યાને દુરુસ્ત ફરમાવી દો કે જેમાં આપે મારી રોઝી નકકી કરી છે. ]

અને

اَللّ ہُمَّ اَصْلِحْ لِیْ آخِرَتِیَ الَّتِی جَعَلْتَ اِلَیْھَا مَرْجَعِیْ ٰ

‘અલ્લાહુમ્મ અસ્લિહ્‌ લી આખિરતિયલ્લતી જઅલ્ત ઈલય્હા મર્જઈ

[ એ અલ્લાહ ! મારી આખિરતને દુરુસ્ત ફરમાવી દો કે જેના તરફ મારે પરત ફરવાનું આપે નક્કી ફરમાવ્યું છે. ]

અને ત્રણ વાર આ દુઆ પઢતા :

اَللّٰہُمَّ اِنِّیْ اَعُوْذ بِرِضَاکَ مِنْ سَخَطِکَ اَللّٰہُمَّ اِنِّیْ اَعُوذُ بِکَ منْکَ

‘અલ્લાહુમ્મ ઈન્ની અઊઝુબિરિઝાક મિન્‌ સખતિક, અલ્લાહુમ્મ ઈન્ની અઊઝુબિક મિન્ક

[ એ અલ્લાહ ! હું આપના ગઝબથી આપની રઝામંદીની પનાહ માંગું છું એ અલ્લાહ ! હું આપના તરફથી આવનાર તમામ નારાઝગીઓ અને મુસીબતોથી આપની પનાહ માંગું છું. ]

અને ત્રણ વાર આ દુઆ પઢતા :

لَّاماَنِعَ لِمَآ اَعْطَیْتَ وَلَا مُعْطِیَ لِمَا مَنَعْتَ وَلَا یَنْفَعُ ذَاالجَدِّ مِنْکَ الجَدُّ

“અલ્લાહુમ્મ લા માનિઅ લિમા અઅ્‌તય્ત, વલા મુઅ્‌તિય લિમા મનઅ્‌ત, વલા યન્ફઉ ઝલ્‌જદ્દિ મિન્કલ્‌ જદ્દુ.

[એ અલ્લાહ ! આપ જે કંઈ અતા ફરમાવો તેને કોઈ રોકનાર નથી અને જેને આપ રોકી લો તેને કોઈ આપનાર નથી અને કોઈ માલદારને તેની માલદારી આપની પકડથી બચાવી નથી શકતી.]

(‘અમલ ૩પ)

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અનેક કવ્લી (કથની) અને અમલી હદીસોથી જાહેર થાય છે કે નમાઝ પછી દુઆ કરવી ઈમામ, મુકતદી અને મુનફરિદ દરેક પ્રકારના નમાઝી માટે સુન્નત છે અને નમાઝ પછી દુઆ કરવાની સુન્નતની સાબિતી માટે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની માત્ર એક કવ્લી અને અમલી હદીસ પણ પૂરતી હતી, પરંતુ ચર્ચાસ્પદ મસ્અલામાં તો અનેક કવ્લી અને અમલી હદીસો મવજૂદ છે, જે પૈકી ઘણી હદીસો ખાસ નમાઝ પછી મસનૂન દુઆઓની સામાન્ય જાણકારીના હેતુથી અહિંયા નકલ કરવામાં આવી છે અને આ સિવાય પણ નમાઝ પછીની અન્ય મસનૂન દુઆઓ બીજી ઘણી હદીસોથી સાબિત છે.

               નમાઝ પછી દુઆ સુન્નત હોવાનો મસ્અલો એટલો સ્પષ્ટ છે કે મશહૂર મુહદ્દીસીને ઈઝામ (રહ.)ની સંપાદન કરેલી હદીસ વિષયની સુવિખ્યાત છ કિતાબો જે સિહાહ સિત્તહના ઉનવાનથી ઓળખાય છે, તેમાંથી દરેક કિતાબમાં ‘નમાઝ પછી દુઆ અથવા ‘સલામ પછી  પઢવાની દુઆના શીર્ષકથી આ મસ્અલાનું પ્રકરણ (બાબ) કાયમ કરી તેના સબૂત માટે તેને લગતી હદીસો નકલ કરવામાં આવી છે અને ‘સિહાહ સિત્તહ સિવાય બીજી કેટલીય હદીસની કિતાબોમાં તેનું હકારાત્મક તરગીબી વર્ણન કરવામાં આવ્યું છે.

               ઈમામ બુખારી (રહ.)એ પોતાની પ્રખ્યાત કિતાબ સહીહ બુખારી શરીફમાં બાબુદ્દુઆઈ બઅ્‌દસ્સલાતિનું પ્રકરણ કાયમ કરી ફર્ઝ નમાઝ પછી દુઆના સુન્નત હોવાના મસ્અલાને વર્ણન કર્યો છે અને તેના સબૂત માટે બે હદીસો નકલ ફરમાવી છે જેમાંથી પહેલી હદીસમાં દરેક નમાઝ પછી દસ વાર ‘સુબ્હાનલ્લાહ, દસ વાર ‘અલ્લાહુ અક્‌બર પઢવાની તરગીબ અને તેની ફઝીલત છે અને બીજી હદીસમાં છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નમાઝ પછી આ દુઆ  પઢતા હતા :–

لَآ اِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ لَہٗ المُلْکُ وَلَہُ الحَمْدُ وَہُوَ عَلٰی کُلِّ شَیْئٍ قَدِیْرٌ۔ لَّاماَنِعَ لِمَآ اَعْطَیْتَ وَلَا مُعْطِیَ لِمَا مَنَعْتَ وَلَا یَنْفَعُ ذَاالجَدِّ مِنْکَ الجَدُّ

‘લા ઈલા–હ ઈલ્લલ્લાહુ વહ્‌દહુ લા શરીક લહુ લહુલ્‌ મુલ્કુ વલહુલ્‌ હમ્દુ વહુવ અલા કુલ્લિ શય્‌ઈન્‌ કદીર,

લા માનિઅ લિમા અઅ્‌તય્ત વલા મુઅ્‌તિય લિમા  મનઅ્‌ત,

વલા યન્ફઉ ઝલ્‌જદ્દિ મિનકલ જદ્દુ.

[અલ્લાહ તઆલા સિવાય કોઈ ઈબાદતના લાયક નથી, જે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેની જ બાદશાહત છે અને બધી તારીફો તેના જ માટે છે અને તે દરેક વસ્તુ પર શકિતમાન છે. એ અલ્લાહ ! આપ જે કંઈ અતા ફરમાવો તેને કોઈ રોકનાર નથી અને જેને આપ રોકી લો તેને કોઈ આપનાર નથી અને કોઈ માલદારને તેની માલદારી આપની પકડથી બચાવી શકતી નથી.]         (‘બુખારી શરીફ ર/૯૩૭)

               મશહૂર શારિહે સહીહ બુખારી શરીફ શૈખ હાફિઝ ઈબ્ને હજર (રહ.) બાબુદ્દુઆઈ બઅદસ્સલાત પ્રકરણ કાયમ કરવાનો હેતુ વર્ણન કરતાં લખે છે કે, આ પ્રકરણમાં ઈમામ બુખારી (રહ.)નો મકસદ તે લોકોના મંતવ્યને રદિયો આપવાનો છે જેઓ કહે છે કે ફર્ઝ નમાઝ પછી દુઆ કરવી જાઈઝ નથી અને હાફિઝ (રહ.)એ શૈખ ઈબ્ને કય્યિમ (રહ.)થી નમાઝ પછી ઈમામ, મુકતદી અને મુનફરિદની દુઆ બેઅસલ હોવાનું મંતવ્ય નકલ કર્યું છે. અને તે પછી પોતાનું મંતવ્ય આ પ્રમાણે દર્શાવ્યું છે કે,

હદીસ શરીફથી નમાઝ પછી દુઆના સબૂતનો સદંતર ઈન્કાર કરવો મરદૂદ છે અને પોતાના આ મંતવ્યની દલીલ રૂપે ઉપર તફસીલથી નકલ કરવામાં આવેલી અનેક હદીસોનું ટૂંકમાં વર્ણન કર્યું છે.         (‘ફત્હુલ બારી ૧૧/૧૧૩)

               હદીસ શરીફમાં ફર્ઝ નમાઝ પછી દુઆ કરવાની એ પ્રમાણે પણ રગબત આપવામાં આવી છે કે ફર્ઝ નમાઝ પછીના વખતને દુઆ કબૂલ થવાનો વખત બતાવવામાં આવ્યો છે.

હઝરત અબૂ ઉમામહ (રદિ.) નકલ કરે છે કે,

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી કોઈ સહાબીએ સવાલ કર્યો કે,

“યા રસૂલલ્લાહ ! કઈ દુઆ (અલ્લાહ તઆલાની બારગાહમાં) સૌથી વધુ સાંભળવામાં (કબૂલ કરવામાં) આવે છે.

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે,

“રાતના અંતિમ ભાગમાં અને ફર્ઝ નમાઝ પછી.   (‘તિરમિઝી શરીફ ર/૧૮૮)

               શૈખ તબરી (રહ.) હઝરત જઅફર બિન મુહમ્મદ સાદિક (રહ.)થી રિવાયત નકલ કરે છે કે,

ફર્ઝ નમાઝ પછીની દુઆ નફલ નમાઝ પછીની દુઆ કરતાં વધુ ફઝીલતવાળી છે, જેવી રીતે ફર્ઝ નમાઝને નફલ નમાઝ પર ફઝીલત પ્રાપ્ત છે.                      (‘ફત્હુલ બારી ૧૧/૧૧૩)

               નમાઝ બાદ હાથ ઉઠાવીને દુઆ ન કરવાને હદીસ શરીફમાં નમાઝનું નુકસાન બતાવવામાં આવ્યું છે.

        હઝરત ફઝલ બિન અબ્બાસ (રદિ.) કહે છે કે,

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,

“દર બે રકાત પર તશહ્‌હુદ પઢવાનું છે અને અલ્લાહ તઆલા સામે કરગરવાનું છે અને નમ્રતા તથા ગરીબાઈ જાહેર કરવાની છે અને તમો પોતાના બંને હાથો પોતાના પરવરદિગાર સામે એ રીતે ઉઠાવો કે હથેળીઓ તમારા ચહેરાની સામે હોય અને દુઆ માંગતા કહો, હે પરવરદિગાર ! હે પરવરદિગાર ! અને જેણે આવું ન કર્યું તેની નમાઝ નુકસાનવાળી છે.

(‘તિરમિઝી ૧/પ૦, ‘ઈબ્તે માજહ)

               તફસીરની કિતાબોમાં કુર્આને કરીમની અમુક આયતોથી પણ નમાઝ પછી દુઆ કરવાનો હુકમ સાબિત કરવામાં આવ્યો છે.

               હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) આયતે કરીમહ ફઈઝા ફરગ્ત ફન્સબ્‌ વ ઈલા રબ્બિક ફર્ગબ્‌ ની તફસીર કરતાં ફરમાવે છે,

“એટલે કે જ્યારે તમો નમાઝથી ફારિગ થઈ જાઓ તો દુઆમાં લાગી જાઓ.

               અને આવી જ તફસીર ઝહ્‌હાક અને હઝરત કતાદહ (રહ.)થી પણ નકલ કરવામાં આવી છે.           (‘રૂહુલ મઆની ૩૦/૧૭ર)

               કાઝી મુહમ્મદ સનાઉલ્લાહ ઉસ્માની પાનીપતી (રહ.) પણ આ આયતની તફસીર બાબત નકલ કરે છે કે,

હઝરત ઈબ્ને અબ્બાસ, હઝરત મુકાતિલ અને હઝરત કલબી (રદિ.) ફરમાવે છે કે, ‘‘જ્યારે તમો ફર્ઝ નમાઝથી અથવા કોઈ પણ નમાઝથી ફારિગ થઈ જાઓ તો પોતાના પરવરદિગારથી દુઆ કરવામાં મશગૂલ થઈ જાઓ અને બારી તઆલાથી સવાલ કરવામાં પ્રવૃત્ત થઈ જાઓ એટલે કે અત્તહિય્યાત પછી નમાઝની સલામ પહેલાં અથવા નમાઝની સલામ પછી.   (‘તફસીરે મઝહરી ૧૦/ર૯૪)

               શૈખ અબૂબક્ન જસ્સાસ (રહ.)એ મજકૂર આયતની તફસીરમાં હઝરત કતાદહ (રદિ.)થી નમાઝથી ફારિગ થઈ દુઆ કરવાનું તફસીરી મંતવ્ય નકલ કરી બીજા મુફસ્સિરીન હઝરાતના વિવિધ તફસીરી મંતવ્યો નકલ કરીને લખ્યું છે કે,

આ આયતના શબ્દોમાં બધા જ તફસીરી મંતવ્યોનો સમાવેશ થાય છે અને બધા જ તફસીરી ભાવાર્થો મુરાદ લેવા દુરુસ્ત છે.      (‘અહકામુલ કુર્આન ૩/૪૭૩)

               શમ્સુલ અઈમ્મહ સરખ્સી (રહ.)એ નમાઝના અંતમાં દુઆના મુસ્તહબ હોવાની દલીલ રૂપે ફઈઝા ફરગ્ત ફન્સબ્‌ની આયત વર્ણન ફરમાવી છે.                                              (‘મબસૂત ૧/૩૦)

               હઝરાત ફુકહાએ કિરામે ફિકહની કિતાબોમાં ફર્ઝ નમાઝ પછી દુઆ કરવાને ઈમામ, મુકતદી અને મુનફરિદ માટે મુસ્તહબ લખ્યું છે.

અલ્લામહ હિસ્કફી (રહ.) લખે છે કે,

મુસ્તહબ છે (નમાઝ પછી) ત્રણ વાર ઈસ્તિગફાર પઢવું, આયતુલ કુર્સી પઢવી, મુઅવ્વિઝાત સૂરતો પઢવી, તેંત્રીસ, તેંત્રીસ વાર સુબ્હાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ અને અલ્લાહુ અકબર પઢવું અને એક વાર લા ઈલા–હ ઈલ્લલ્લાહુનો કલિમો પઢી સોની ગણત્રી પૂરી કરવી અને દુઆ કરવી તથા સુબ્હાન રબ્બિક…..પઢી દુઆ ખતમ કરવી.             (‘દુર્રે મુખ્તાર, ‘તહતાવી ૧/ર૩૩)

               શૈખ હસન બિન અમ્માર શુરુન્બુલાબી (રહ.)એ પણ પોતાની કિતાબમાં નમાઝથી ફારિગ થયા પછી ઉપર મુજબ બધી દુઆઓ પઢવાનું અને મસનૂન દુઆઓ કરવા લખ્યું છે.

(‘મરાકિયુલ્‌ ફલાહ ૧૭ર)

               જ્યારે ઉપર લખેલી વિસ્તૃત વિગત મુજબ ફર્ઝ નમાઝ પછી દુઆનું મુસ્તહબ હોવું કુર્આન મજીદ, હદીસ શરીફ અને મુહદ્દિસીન તથા ફુકહાએ કિરામ (રહ.)ના મંતવ્યોથી સાબિત છે તો તેનાથી મના કરવું નાજાઈઝ છે અને તેને બિદઅત સમજવું જહાલત છે.

               હદીસ વિષયના અનેક મોટા મોટા આલિમોએ દરેક પ્રસંગની ખાસ મસનૂન દુઆઓના વિષય પર અનેક કિતાબો લખી છે અને તે કિતાબોમાં એક અથવા અનેક પ્રકરણો અને શીર્ષકો કાયમ કરી ખાસ નમાઝ પછીની મસનૂન દુઆઓ વિશે હદીસો નકલ ફરમાવી છે. જેની જાણકારી માટે શૈખ ઈબ્નુસ્સુન્ની અને શૈખ નસાઈ (રહ.)ની કિતાબો ”અમલુલ યવ્મિ વલ્લય્લહ”, અલ્લામહ નવવી (રહ.)ની કિતાબ ”અલ્‌ અઝ્‌કાર” અને શૈખ જઝરી (રહ.)ની કિતાબ ”હિસ્ને હસીન” વગેરે ખાસ મસનૂન દુઆઓની હદીસની કિતાબોનો અભ્યાસ કરવો જોઈએ.

Log in or Register to save this content for later.