Chapter : તહારત
(Page : 126)
સવાલ :– હું બહારગામથી અમદાવાદ નોકરી ઉપર ટ્રેઈન દ્વારા અપડાઉન કરું છું, તો ટ્રેઈનમાં જે પાણી ભરવામાં આવે છે તે ગેર મુસ્લિમ અને હરિજનના હાથે ભરેલું હોય છે અને પાણીની ટોટી ઘણી વાર જયાં ત્યાં રખડતી હોય છે, તેને ધોયા વગર પાણી ભરવામાં આવે છે અને પાણીની ટાંકી કોઈ દિવસ ધોવામાં આવતી નથી. અમો તે પાણીથી ઈસ્તિન્જો કરીએ છીએ, કદી વુઝૂ પણ કરીએ છીએ, તો શું આ પાણી પાક ગણાશે? અને ઓફિસમાં પીવાનું પાણી પણ હરિજન ભાઈઓ ભરતા હોય છે, તો અમો ઓફિસમાં તે પાણી પી શકીએ છીએ કે નહિ ?
જવાબ :– જ્યાં સુધી રેલ્વે ગાડી અને ટાંકીના પાણીમાં કોઈ નાપાકી પડવાની પાકી જાણકારી ન હોય ત્યાં સુધી તેને નાપાક ગણવામાં નહિ આવે અને માત્ર ગેર મુસ્લિમ કે હરિજનના પાણી ભરવાની બુનિયાદ ઉપર પણ તે પાણીને નાપાક કહેવામાં નહિ આવે. માટે ગાડીના અને ઓફિસના પાણીની પાકીમાં અને પીવા વગેરેના ઉપયોગમાં શંકા કરવાની જરૂરત નથી. (‘અશ્બાહ)
Log in or Register to save this content for later.