Chapter : તહારત
(Page : 123)
સવાલ :– આપણા ઘરોમાં જાજરૂ–મુતરડીમાં ઈસ્તિન્જા માટે પાણી રાખવાનો રિવાજ છે અને જાજરૂ, મુતરડી, બાથરૂમમાં વંદાઓ (સંડાસ્યા) અવશ્ય હોય છે અને વંદાઓ કેટલાક વખત બાથરૂમ કે સંડાસના પાણીના માટલા કે ચંબુમાં પડે છે, કેટલાક વખત મરી જાય છે, કેટલાક વખત જીવતા નીકળે છે, તો જે પાણીમાં વંદાઓ પડે તે પાણી પાક રહેશે કે નહિ ? વંદા પડેલા પાણીથી ઈસ્તિન્જો કરી શકાશે કે નહિ ?
જવાબ :– લગભગ જોવા અને જાણવા મુજબ સંડાસ્યામાં વહેતું લોહી હોતું નથી અને જે જીવજંતુમાં વહેતું લોહી ન હોય તેના પાણીમાં પડવાથી અથવા પડીને મરી જવાથી પાણી નાપાક થતું નથી. ચાહે તે પાણી થોડા પ્રમાણમાં હોય, પરંતુ જો તે જીવજંતુ ઉપર કોઈ બહારની નાપાકી લાગી હોય અને તે થોડા પાણીમાં પડે તો પાણી નાપાક થઈ જાય છે, આ વિગતથી જાજરૂ–મુતરડી અને બાથરૂમના સંડાસ્યાઓનો હુકમ જાહેર છે. (શામી ૧ર૩, ભાગ–૧)
Log in or Register to save this content for later.