Chapter : તહારત
(Page : 114)
સવાલ :– અમારી મસ્જિદ પાસે એક કૂવો છે, ત્યાંથી ઓરતો પાણી ભરે છે, કપડાં ધોએ છે, કૂતરાંઓ ત્યાં આવ્યા કરે છે અને કૂવાની આસપાસ પેશાબ–પાખાનું કરે છે અને ઓરતો વાસણો નીચે મૂકે છે અને તે જ વાસણોથી કૂવામાંથી પાણી ભરે છે અને તે જગ્યા મોટા ભાગે પાણીથી ભીની રહે છે, તો આ કૂવાનું પાણી પાક છે કે નાપાક ?
જવાબ :– નાપાકી અથવા નાપાકીની શંકાવાળા વાસણ પડવાની માત્ર શંકાના અને સંભાવનાના આધારે કૂવાનું પાણી નાપાક થયેલું નહિ ગણાય. હા, જો મજકૂર કૂવો નાનો હોય એટલે કે તેના પાણીની સપાટીવાળા ભાગનું ક્ષેત્રફળ રરપ ફૂટ ન હોય અને પ્રત્યક્ષ જોવાથી અથવા કોઈ વિશ્વાસપાત્ર મુસલમાનના ખબર આપવાથી એ વાતની સંતોષકારક જાણકારી થઈ ગઈ હોય કે તેમાં કોઈ નાપાકી પડી છે અથવા કોઈ નાપાક થએલી વસ્તુ પડી છે તો આ સૂરતમાં મજકૂર નાના કૂવાનું પાણી નાપાક ગણાશે અને જો મજકૂર માપ મુજબ તે કૂવો મોટો હોય તો કૂવાના પાણીમાં નાપાકીનો રંગ, સ્વાદ અને વાસમાંથી કોઈ એક વસ્તુ માલૂમ પડે તો તેનું પાણી નાપાક ગણાશે, નહિતર નાપાક નહિ ગણાય. (શામી ભાગ–૧)
કૂવાના પાણીની સફાઈ અને પાકીના રક્ષણ માટે સવાલમાં લખવા મુજબ કૂવાની આસપાસ ગંદકી અને નાપાકી ન થાય એ વાતનો ખયાલ રાખવો જોઈએ. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઉપયોગ લાયક પાણીમાં નાપાકી અને ગંદકી નાંખવાથી બચવાની તાલીમ અને તાકીદ ફરમાવી છે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) હઝરત રસૂલુલ્લુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે તુ એવા બંધિયાર પાણીમાં પેશાબ ન કર કે જે વહેતું ન હોય, કારણ કે પછી તુ એ પાણીથી ગુસલ પણ કરીશ. (મુસ્લિમ શરીફ –૧/૧૩૮)
Log in or Register to save this content for later.