Chapter : તહારત
(Page : 115)
સવાલ :– અમારા ગામમાં પાણીની તકલીફ છે, જેથી મસ્જિદમાં પણ લોકોને તકલીફ પડે છે, એ તકલીફ દૂર કરવા ગામ લોકોએ મસ્જિદની જગામાં બોર કરવા વિચાર્યું છે, પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે જે જગ્યાએ બોર કરવાનું છે તેની આજુ બાજુ ચાર–પાંચ ફૂટનાં અંતરે સંડાસ છે, તો આ સ્થિતિમાં બોર કરવા માટે શરીઅતની દ્રષ્ટિએ માર્ગદર્શન આપશો.
જવાબ : – સંડાસ અને કૂવા કે બોરની વચ્ચે એટલું અંતર હોવું જરૂરી છે કે જેથી ગટરની ગંદકીની વાસ, રંગ કે સ્વાદ કૂવા–બોરના પાણીમાં ન પહોંચે, જો સવાલમાં લખવા મુજબના અંતરથી બોરના પાણીમાં અસર ન પહોંચવાનો વિશ્વાસ હોય તો એટલા અંતરે બોર કરવામાં વાંધો નથી. (શામી, ભાગ–૧/૧૪૮)
Log in or Register to save this content for later.