Chapter : તહારત
(Page : 108)
સવાલ : – મસ્જિદનું બૈતુલખલા (સંડાસ) વ્યાજની રકમથી બનાવવામાં આવ્યું છે અને તેનું મજબૂત પાકું ધાબું પણ વ્યાજની રકમથી જ બનાવવામાં આવ્યું છે, હવે આ ધાબા ઉપર પાણીની ટાંકી બનાવવાની છે અને આ ટાંકીનું પાણી વુઝૂખાનમાં વુઝૂ માટે પણ વપરાશે તો આ સૂરતમાં વ્યાજની રકમથી બનેલા ધાબા ઉપર પાણીની ટાંકી બનાવી શકાય કે નહિ ?
જવાબ :– વ્યાજની રકમથી બનાવવામાં આવેલા સંડાસના ધાબાને વુઝૂ કરવાના પાણીની ટાંકીમાં શામિલ કરવું અને તે ટાંકીના પાણીથી વુઝૂ કરવું એ મકરૂહ છે.
આ સૂરતમાં ટાંકી બનાવવાનો અને મકરૂહથી બચવાનો ઉપાય આ રીતે કરી શકાય કે મજકૂર ધાબાનો જે ભાગ પાણીની ટાંકીમાં શામિલ કરવાનો હોય તે ભાગ ઉપર હલાલ રકમથી લાદી અથવા પ્લાસ્ટર લગાવી દેવામાં આવે અને પછી તેના ઉપર ટાંકી બનાવવામાં આવે.
બીજો ઉપાય આ છે કે આ ધાબું બનાવવામાં વ્યાજની જેટલી રકમ વપરાઈ છે, તેટલી લિલ્લાહ રકમનો ચંદો કરીને તે રકમ વ્યાજના હકદારોને એટલે કે ગરીબ મુસ્લિમોને આપી દેવામાં આવે. (‘કિફાયતુલ મુફતી ૬૮/૭)
Log in or Register to save this content for later.