Chapter : તહારત
(Page : 107)
સવાલ :– જો વુઝૂ માટે ઈંડાકાર હોઝ બનાવવો હોય તો શરઈ મોટા હોઝ માટે ઈંડાકાર હોઝની ગોળાઈ કેટલા ફૂટની હોવી જોઈએ ?
જવાબ :– ઈંડાકાર ગોળ હોઝ બનાવવાની સૂરતમાં શરઈ મોટા હોઝનું માપ નકકી કરવાનો આસાન તરીકો આ છે કે ઈંડાકાર હોઝના પાણીની ઉપરની સપાટીવાળા ભાગનું કુલ ક્ષેત્રફળ (લંબાઈ–પહોળાઈવાળો એરિયો) કમથી કમ રરપ (બસો પચ્ચીસ) ચોરસ ફૂટ રહેવું જોઈએ અને મજકૂર માપને સરળ શબ્દોમાં આ પ્રમાણે પણ સમજી શકાય છે કે ઈંડાકાર હોઝનો પાણીની ઉપરની સપાટીવાળો ભાગ એટલો પહોળો અને લાંબો હોવો જોઈએ કે જો તે ભાગમાં એક ચોરસ ફૂટ માપની લાદી બેસાડવામાં આવે તો કમ થી કમ એવી રરપ લાદીઓ બેસાડી શકાય.
મજકૂર હોઝના તળિયાવાળા ભાગનો એરિયો રરપ ચો. ફૂટથી ઓછો હશે તો પણ વાંધો નથી, કારણકે શરઈ મોટા હોઝના માપમાં પાણી ઉપયોગ કરવાના ભાગનો એટલે કે પાણીની ઉપરની સપાટીવાળા ભાગનો એતેબાર કરવામાં આવે છે, નીચેના ભાગનો એતેબાર થતો નથી. (‘શામી ૧/૧ર૯)
Log in or Register to save this content for later.