[૬૪] કૂવામાં મરેલો કાચબો ફૂલી જાય

Chapter : તહારત

(Page : 104)

સવાલ :–એક માણસે જીવતો કાચબો કૂવામાં નાખ્યો. કાચબો મરી ગયો અને ફૂલી ગયો તો કૂવાનું પાણી નાપાક થશે કે નહિ ? નાના–મોટા કૂવાની વિગત સાથે જવાબ આપશો.

જવાબ :– કાચબાના કૂવાના પાણીમાં મરી જવાથી અને ફૂલી જવાથી કૂવાનું પાણી નાપાક નહિ થાય, ચાહે કૂવો ‘દહ દર દહના માપ પ્રમાણે મોટો હોય કે તેથી નાનો હોય, કારણકે કાચબો જળચર પ્રાણી છે અને જળચર પ્રાણીના પાણીમાં મરવાથી બલ્કે ફૂલી અને ફાટી જવાથી પણ પાણી નાપાક થતું નથી.

                અલબત્ત તે મરેલા કાચબાને પાણીમાંથી કાઢી લેવો જરૂરી છે, કારણકે જો નહિ કાઢવામાં આવે અને ફાટી જવાથી તેના ગોશ્તના ટૂકડા પાણીમાં પ્રસરી જશે તો તે પાણીનો ખાવા–પીવામાં ઉપયોગ કરવો નાજાઈઝ થઈ જશે.    (‘આલમગીરી ૧/ર૪)

Log in or Register to save this content for later.